Cheetah Project: આંખો પર પટ્ટી અને બેભાન કરીને ભારત લાવવા માટે ચિત્તાઓનો કરવામાં આવ્યો હાઈલેવલ ટેસ્ટ, PM મોદી આજે કુનો અભયારણ્યમાં કરશે સ્વાગત
PM Narendra Modi Birthday: આ ચિત્તાઓને ભારત લાવવામાં આવતા પહેલા નામીબીયાના જંગલોમાં બેભાન કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ પછી આ ચિત્તાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કે તેઓ બેહોશ થયા કે નહીં.
નામીબિયાથી (Namibia) 8 ચિત્તાઓને (Cheetah) લઈને બોઈંગનું વિશેષ વિમાન ભારત જવા રવાના થયું છે. વિમાનમાં ગ્વાલિયર લાવ્યા બાદ આ ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્કમાં શિફ્ટ કરવામાં આવશે. ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી તમામ પાંચ માદાની ઉંમર બેથી પાંચ વર્ષની વચ્ચે છે જ્યારે નર ચિત્તાની ઉંમર 4.5 વર્ષથી 5.5 વર્ષની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્ક શિયોપુર જિલ્લામાં સ્થિત છે, જે ગ્વાલિયરથી લગભગ 165 કિમી દૂર છે. આ ચિત્તાઓને નામિબિયાથી બેભાન કરીને લાવવામાં આવી રહ્યા છે.
આ ચિત્તાઓને ભારત લાવવામાં આવતા પહેલા નામીબીયાના જંગલોમાં બેભાન કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ પછી આ ચિત્તાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કે તેઓ બેહોશ થયા કે નહીં. ઘેનની દવા આપ્યા બાદ તમામ ચિત્તાઓને ફોરેસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પશુ ચિકિત્સકોની ટીમે ચિત્તાઓની તબીબી તપાસ કરી હતી. આંખે પટ્ટી બાંધેલી હતી. ભારત જતા પહેલા તમામ ચિત્તાઓની ફિટનેસ તપાસ કરવામાં આવી હતી. ફિટ થયા પછી, દરેક ચિત્તાના ગળામાં સેટેલાઈટ-જીપીએસ-વીએચએફ રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા હતા. કારણ કે ભવિષ્યમાં દરેક ચિત્તાને ઓળખી શકાય. આ પછી આ ચિત્તાઓને બોઈંગના વિશેષ વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.
ક્રેટસની અંદર ખાસ વ્યવસ્થા
આ તમામ ચિત્તાઓને ઘણી ગંભીરતા સાથે ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આ તમામ ચિત્તા નામીબીયાથી વિવિધ પ્રકારના ક્રેટમાં ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. ક્રેટસમાં ઘણા છિદ્રો છે, જેથી શરીરનું હલનચલન થઈ શકે. ક્રેટની અંદર દરેક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ચિત્તાને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. ક્રેટની અંદર રબરની સાદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ચિત્તાઓ 11 કલાક સુધી વિશેષ વિમાનમાં મુસાફરી કરશે
ક્રેટની લંબાઈ અને પહોળાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી ચિતાઓ સૂઈ શકે અથવા ઊભા રહી શકે. તમને જણાવી દઈએ કે આ ચિત્તાઓને આખી મુસાફરી દરમિયાન ભૂખ્યા રાખવામાં આવશે, જેથી ફ્લાઈટમાં તેમની તબિયત બગડે નહીં. આ ચિત્તા લગભગ 11 કલાક સુધી ખાસ વિમાનમાં મુસાફરી કરશે. બોઈંગ સ્પેશિયલ એરક્રાફ્ટ 16 કલાક સુધી સતત ઉડવામાં સક્ષમ છે અને તેને હવામાં જ રિફ્યુઅલ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લો ચિત્તા 1947માં છત્તીસગઢમાં આવેલા કોરિયા જિલ્લામાં માર્યો ગયો હતો. ચિત્તાને 1952માં ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ‘ભારતમાં આફ્રિકન ચિતા પરિચય પ્રોજેક્ટ’ 2009માં શરૂ થયો હતો અને તાજેતરના વર્ષોમાં તેને વેગ મળ્યો છે. ભારતે ચિત્તાની આયાત માટે નામીબીયા સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.