PM Narendra Modi: PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય છે

નિર્યાત પોર્ટલ (NIRYAT Portal)ને ભારતના વિદેશી વેપારને લગતી તમામ જરૂરી માહિતી મેળવવા માટે હિતધારકો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે બનાવવામાં આવ્યું છે.

PM Narendra Modi: PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય છે
PM Modi Inaugurate vanijya bhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 12:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે ​​વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા કેમ્પસ, ‘વાણિજ્ય ભવન’ (Vanijya Bhawan) અને NIRYAT પોર્ટલ પણ લોન્ચ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાનું સંબોધન પણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ બંને પ્રોજેક્ટનું લક્ષ્ય સરકારી કામમાં ઝડપ લાવવાનું છે. તેમણે કહ્યું કે સરકારની યોજનાઓ વર્ષો સુધી વિલંબિત ન થવી જોઈએ, તે સમયસર પૂર્ણ થાય છે, સરકારની યોજનાઓ તેમના લક્ષ્ય સુધી પહોંચે છે, તો જ દેશના કરદાતાનું સન્માન થાય છે. હવે અમારી પાસે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના રૂપમાં એક આધુનિક પ્લેટફોર્મ પણ છે.

વાણિજ્ય ભવન કોમર્સના ક્ષેત્રે અમારી સિદ્ધિઓની નિશાની

પીએમ મોદીએ કહ્યું કે કોમર્શિયલ બિલ્ડિંગ પણ આ સમયગાળા દરમિયાન વાણિજ્ય ક્ષેત્રે અમારી સિદ્ધિઓની નિશાની છે. મને યાદ છે કે, શિલાન્યાસ સમયે મેં વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આજે આપણે વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 46મા ક્રમે છીએ અને સતત સુધારો કરી રહ્યા છીએ. આ બંને વેપાર અને વાણિજ્ય સંબંધિત અમારા શાસનમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારત માટેની અમારી આકાંક્ષા વિશે વાત કરે છે. આજે જ્યારે આ ઈમારતનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે 32 હજારથી વધુ બિનજરૂરી કમ્પ્લાયન્સ દૂર કરવામાં આવ્યા છે.

આ વર્ષે 31 લાખ કરોડ રૂપિયાની નિકાસનો નવો રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા વર્ષે દેશે નક્કી કર્યું હતું કે દરેક પડકારો છતાં, તેણે 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાની વેપારી નિકાસનો માઇલસ્ટોન પાર કરવાનો છે. આપણે આને પણ પાર કર્યું છે અને 418 બિલિયન ડોલર એટલે કે 31 લાખ કરોડ રૂપિયાની નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

સરકાર whole of government અપ્રોચ સાથે કામ કરી રહી છે

પીએમ મોદીએ કહ્યું કે આજે સરકારના દરેક મંત્રાલય, દરેક વિભાગ ‘whole of government’ અભિગમ સાથે નિકાસ વધારવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. MSME મંત્રાલય હોય કે વિદેશ મંત્રાલય હોય, કૃષિ કે વાણિજ્ય મંત્રાલય હોય, બધા એક સમાન ધ્યેય માટે સમાન પ્રયાસો કરી રહ્યા છે.

‘વોકલ ફોર લોકલ અભિયાન’ પર ભાર

પીએમ મોદીએ કહ્યું કે ‘વોકલ ફોર લોકલ અભિયાન’, ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ યોજના દ્વારા સ્થાનિક ઉત્પાદનો પર સરકારના ભારથી પણ નિકાસ વધારવામાં મદદ મળી છે. હવે આપણા ઘણા ઉત્પાદનો પ્રથમ વખત વિશ્વના નવા દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">