PM Kisan Yojana: વડાપ્રધાન મોદીએ કહ્યું- બંગાળના લાખો ખેડુતોને મળ્યો પહેલો હપ્તો, સંખ્યા હજુ વધશે

આજે વડાપ્રધાને કેટલાક ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. દેશને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ પહેલા ઈદ અને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી હતી.

PM Kisan Yojana: વડાપ્રધાન મોદીએ કહ્યું- બંગાળના લાખો ખેડુતોને મળ્યો પહેલો હપ્તો, સંખ્યા હજુ વધશે
File Image
Follow Us:
| Updated on: May 14, 2021 | 2:08 PM

પીએમ મોદીએ 9.5 કરોડ ખેડુતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20,000 કરોડ રૂપિયાનો 8 મો હપ્તા બહાર પાડ્યો છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હપ્તા આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા સાંસદો પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાને કેટલાક ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. દેશને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ પહેલા ઈદ અને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, આ કોરોના યુગમાં પણ દેશના ખેડૂતોએ આપણા કૃષિ ક્ષેત્રે પોતાની જવાબદારી નિભાવીને પણ અનાજ ઉત્પાદનનો રેકોર્ડ બનાવ્યો છે. બંગાળના લાખો ખેડૂતોને આજથી પ્રથમ વખત કિસાન નિધિ યોજનાનો લાભ મળવાનું શરૂ થયું છે. તેમને પહેલો હપ્તો મળી ગયો છે. જેમ જેમ ખેડુતોનાં નામ રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને પ્રાપ્ત થશે તેમ તેમ લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં વધારો થશે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત કોરોના યુગમાં વિશ્વની સૌથી મોટી મફત રેશન યોજના ચલાવી રહ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા ગત વર્ષે 8 મહિના માટે ગરીબોને મફત રેશન આપવામાં આવ્યું હતું. આ વખતે મે અને જૂનમાં દેશના 80 કરોડથી વધુ સાથીઓને રેશન મળે છે, તેની ગોઠવણ કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જણાવી દઈએ કે પીએમ-કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. આ નાણાં દર વર્ષે ચાર-ચાર મહિનાના અંતરાલમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં મોકલાય છે. અત્યાર સુધીમાં સાત હપ્તા સહિત આશરે દો 1.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આ અભિનેતાને વેચી કાઢી લાખોની બાઈક, જાણો પછી એ પૈસાથી કેવી રીતે કરી કોરોના દર્દીઓની મદદ

આ પણ વાંચો: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? આ વાવાઝોડાનું નામ કેમ ટૌકટે રખાયું?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">