8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મોદી સરકાર
વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વીટ કરીને બલરામ જયંતી અને રાંધણ છઠ્ઠની દેશવાસીઓને શુભકામનાઓ આપી અને કહ્યું કે આ ખાસ દિવસ પર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાની શરૂઆત કરીશ. વધુમાં વડાપ્રધાને ટ્વીટ કર્યુ કે આ કાર્યક્રમમાં ‘પીએમ કિસાન યોજના’ અંતર્ગત સહાયનો છઠ્ઠો હપ્તો પણ જાહેર […]
વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વીટ કરીને બલરામ જયંતી અને રાંધણ છઠ્ઠની દેશવાસીઓને શુભકામનાઓ આપી અને કહ્યું કે આ ખાસ દિવસ પર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાની શરૂઆત કરીશ. વધુમાં વડાપ્રધાને ટ્વીટ કર્યુ કે આ કાર્યક્રમમાં ‘પીએમ કિસાન યોજના’ અંતર્ગત સહાયનો છઠ્ઠો હપ્તો પણ જાહેર કરવામાં આવશે.
इस कार्यक्रम में ‘पीएम-किसान योजना’ के अंतर्गत सहायता राशि की छठी किस्त भी जारी की जाएगी। 8.5 करोड़ किसानों के खातों में 17,000 करोड़ रुपये ट्रांसफर किए जाएंगे। कोविड-19 महामारी के दौरान यह योजना किसानों के लिए बहुत मददगार साबित हो रही है।
— Narendra Modi (@narendramodi) August 9, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતો માટે ખુબ મદદગાર સાબિત થઈ રહી છે. કોરોના વાઈરસની મહામારીને જોતાં કેન્દ્ર સરકારે ઘણી કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરી છે. આ યોજનાઓમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક મદદ માટે સરકારે ઘણી મોટી જાહેરાતો કરી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં સરકાર સહાયની રકમ ટ્રાન્સફર કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો