Pm Modi Varanasi Visit Updates: ‘વિકાસ માટે કાશી મોડલ અપનાવો’, ભાજપ શાસિત રાજ્યોને PM મોદીનો સંદેશ

જે રાજ્યોમાં ભાજપની સરકાર છે, મોદી તે રાજ્યોના કામનો રિપોર્ટ લેવા માંગે છે. દરેક વ્યક્તિએ સુશાસન પર પોતાની સરકારના કામ વિશે જણાવવું પડશે. અહેવાલ છે કે તમામ 12 સીએમ વારાફરતી પીએમ સામે પોતાનું પ્રેઝન્ટેશન આપશે.

Pm Modi Varanasi Visit Updates: 'વિકાસ માટે કાશી મોડલ અપનાવો', ભાજપ શાસિત રાજ્યોને PM મોદીનો સંદેશ
'Adopt Kashi model for development', PM Modi's message to BJP ruled states
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 2:30 PM

Pm Modi Varanasi Visit Updates:વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય વારાણસી મુલાકાતના બીજા દિવસે બારેકા વહીવટી ભવન ખાતે ચાલી રહેલા મુખ્ય પ્રધાનોની પરિષદમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીઓના સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશીના વિકાસ મોડલને જુઓ અને તેને અહીં અપનાવો.

તમારા રાજ્યોમાં પણ તેનો પ્રચાર કરો. કાશી અને અયોધ્યાના ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આગળ આવો. જૂના શહેરોના મૂળ સ્વરૂપને જાળવી રાખીને લોકોની સુવિધા માટે શું કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સંમેલનમાં  આસામ, અરુણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

PM વારાણસીની મુલાકાત લેટેસ્ટ અપડેટ્સ: PM લેશે ભાજપ શાસિત રાજ્યોનો રિપોર્ટ! 

વારાણસીમાં આયોજિત ભાજપ શાસિત રાજ્યોના આ સંમેલનમાં દરેકને તેમના રાજ્યમાં થઈ રહેલી મોટી યોજના વિશે વિગતવાર જણાવવાનું કહેવામાં આવ્યું હતું. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે, મોદી તે રાજ્યોના કામનો રિપોર્ટ મેળવવા માંગતા હતા. તમામ રાજ્યોએ સુશાસન પર પોતપોતાની સરકારના કામ વિશે જણાવ્યું. 

તમામ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ સામે વારાફરતી પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું. મળતી માહિતી મુજબ સૌથી લાંબો સમય યુપીના સીએમ યોગી આદિત્યનાથને આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીઓના સંમેલન બાદ પીએમ મોદી સ્વરવેદ મહામંદિર ધામ વિહંગમ યોગની 98મી વર્ષગાંઠમાં હાજરી આપશે.આ સંમેલનમાં બિહાર અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીનો સૌથી લાંબો સમય યુપીના સીએમ યોગી આદિત્યનાથને આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીઓના સંમેલન પછી, પીએમ મોદી સ્વરવેદ મહામંદિર ધામ વિહંગમ યોગની 98મી વર્ષગાંઠમાં હાજરી આપશે.આ સંમેલનમાં બિહાર અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. આ કોન્ફરન્સ ગવર્નન્સને લગતી શ્રેષ્ઠ પદ્ધતિઓ અથવા પ્રેક્ટિસને શેર કરવાની તક પૂરી પાડશે. 

પીએમ મોદીનો આજનો મિનિટ-ટુ-મિનિટનો કાર્યક્રમ

9 AM થી 2.45 AM – આરક્ષિત/મીટિંગ – BLW ગેસ્ટ હાઉસ BLW ગેસ્ટ હાઉસથી

બપોરે 2.50 વાગ્યે ગામ ઉમરાહ હેલીપેડ માટે પ્રસ્થાન

બપોરે 3.20 કલાકે ગામ ઉમરા હેલીપેડ પહોંચશે

બપોરે 3.30 થી 4.30 સુધી – જાહેર સભાનો કાર્યક્રમ

સાંજે 4.35 કલાકે – સ્વરવેદ મહામંદિર ધામ

4.45 કલાકે ગામ-ઉમરાહા હેલીપેડથી વારાણસી એરપોર્ટ માટે રવાના થશે

5.05 કલાકથી 5.15 કલાક સુધી- દિલ્હી માટે પ્રસ્થાન

પીએમ મોદી મોડી રાત્રે વારાણસી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા

આ પહેલા સોમવારે સવારે પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોર દેશને સમર્પિત કર્યું હતું. પીએમ મોદી પણ કાલ ભૈરવ મંદિર પહોંચ્યા હતા. તેમજ ગંગામાં ડૂબકી લગાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ક્રુઝ પર ઉત્તર પ્રદેશ અને અન્ય ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ભવ્ય ગંગા આરતીના સાક્ષી બન્યા હતા. 

મોડી રાત્રે પીએમ મોદીએ સીએમ યોગી સાથે વારાણસી રેલવે સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી. રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ વડાપ્રધાને સ્ટોલ પર હાજર દુકાનદારોનું હાથ લહેરાવી અભિવાદન કર્યું હતું.પીએમ મોદી બે દિવસની મુલાકાતે વારાણસીમાં છે. વારાણસી શહેરમાં વડાપ્રધાનનો આ ત્રીજો કાર્યક્રમ હતો. આ પહેલા મોદીએ કાલ ભૈરવ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કર્યું હતું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">