પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર કરશે: PM મોદી
વડાપ્રધાન મોદી આજે ‘અમ્ફાન’ વાવાઝોડાથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો પ્રવાસ કરી રહ્યા છે. આ ભયંકર વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 80 લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમ્ફાન’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળની તત્કાલ સહાયતા માટે કેન્દ્ર સરકાર તરફથી 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે […]
વડાપ્રધાન મોદી આજે ‘અમ્ફાન’ વાવાઝોડાથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો પ્રવાસ કરી રહ્યા છે. આ ભયંકર વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 80 લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમ્ફાન’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળની તત્કાલ સહાયતા માટે કેન્દ્ર સરકાર તરફથી 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકો માટે 50 હજારની મદદ કેન્દ્ર તરફથી કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સાથે ‘અમ્ફાન’થી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કર્યુ. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો