PM Kisan Scheme: નવા વર્ષના પહેલા દીવસે ખડૂતો માટે ખુશખબર! કિસાન યોજનાનો 10મો હપ્તો કાલે થશે જાહેર

PM Kisan Samman Nidhi Scheme : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરાલમાં 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.

PM Kisan Scheme: નવા વર્ષના પહેલા દીવસે ખડૂતો માટે ખુશખબર! કિસાન યોજનાનો 10મો હપ્તો કાલે થશે જાહેર
Prime Minister Narendra Modi. (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 11:31 PM

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi)  નવા વર્ષની શરૂઆત ખડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) હેઠળ 10મો હપ્તો જાહેર કરવાની સાથે કરશે. 10 કરોડથી વધુ ખડૂતો પરીવારોને આ હપ્તા દ્વારા 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માનની રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (31 ડિસેમ્બર) વર્ષ 2021ના છેલ્લા દિવસે ટ્વિટ કરીને કહ્યું કે નવા વર્ષ 2022નો પહેલો દિવસ દેશના અન્નદાતાઓને સમર્પિત કરવામાં આવશે. બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM-કિસાનનો 10મો હપ્તો રિલીઝ કરવાનો સૌભાગ્ય  મળશે. આ અંતર્ગત 20 હજાર કરોડ રૂપિયાની રકમની ટ્રાન્સફરથી 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને લાભ થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ ટ્રાન્સફર થયા છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે, જે 4 મહિનાના ગાળામાં 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરશે, જેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે.

પીએમ મોદીએ ફેબ્રુઆરી 2019માં આ યોજનાની શરૂઆત કરી હતી

આ મદદ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાયાના સ્તરે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજનામાં નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન થઈ શકે છે. ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અથવા https://pmkisan.gov.in/ પર ઑનલાઇન નોંધણી કરાવી શકે છે.

જ્યારે 2019માં લોકસભા ચૂંટણી પહેલા 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે તેનો લાભ માત્ર 2 હેક્ટર ધરાવનારા નાના અને સીમાંત ખેડૂતો સુધી મર્યાદિત હતો. પરંતુ પાછળથી 1 જૂન, 2019 ના રોજ, આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો અને આ યોજના તમામ ખેડૂત પરિવારો સુધી લંબાવવામાં આવી હતી. યોજના હેઠળનો લાભ વાર્ષિક 6000 રૂપિયા પ્રતિ પરિવાર છે, જે 2000 રૂપિયાના 3 હપ્તામાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :  KCC: પશુપાલકોને વિશેષ અભિયાન હેઠળ 50,454 કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, આ યોજના માટે 15 ફેબ્રુઆરી સુધીમાં કરો અરજી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">