કોવિડ ટેસ્ટ, સારવાર માટે WTOમાં પેટન્ટ મેળવવાના પ્રયાસો વધારવાની જરૂર છે: પિયુષ ગોયલ
ગયા વર્ષે જૂનમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) ના સભ્યો પાંચ વર્ષ માટે કોવિડ-19 રસીના ઉત્પાદન માટે અસ્થાયી પેટન્ટ મુક્તિ માટે સંમત થયા હતા.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે પરીક્ષણ અને સારવાર માટે WTOમાં પેટન્ટ મુક્તિ મેળવવાના પ્રયાસો વધારવાની જરૂર છે. ગયા વર્ષે જૂનમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના સભ્યો પાંચ વર્ષ માટે કોવિડ-19 રસીના ઉત્પાદન માટે અસ્થાયી પેટન્ટ મુક્તિ માટે સંમત થયા હતા. છ મહિના પછી આ મુક્તિના દાયરામાં ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા પ્રસ્તાવિત પરીક્ષણો અને સારવારનો સમાવેશ કરવા પર વાટાઘાટો શરૂ કરવા સંમત થયા હતા.
આ પણ વાંચો : Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થીના અવસર પર પીએમ મોદીએ પીયૂષ ગોયલના ઘરે કરી આરતી, જુઓ Video
TRIPS મુક્તિ મેળવવા માટે WTOમાં અમારા પ્રયત્નોને બમણા કરીશું-મંત્રી
ગોયલે એમ પણ કહ્યું કે, આવશ્યક દવાઓના વૈશ્વિક પુરવઠા પર રાજનીતિ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભારત, દક્ષિણ આફ્રિકા અને અન્ય વિકાસશીલ દેશોએ જૂન 2022માં જીનીવા ખાતે યોજાયેલી WTO મંત્રી સ્તરીય પરિષદમાં TRIPS (બૌદ્ધિક સંપદા અધિકારોના વેપાર-સંબંધિત પાસાઓ) મુક્તિ મેળવવા માટે સાથે મળીને કામ કર્યું હતું. આ રસીઓ સુધી સમાન અને સસ્તું પહોંચ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. “અમે COVID-19 પરીક્ષણ અને સારવાર માટે TRIPS મુક્તિ મેળવવા માટે WTOમાં અમારા પ્રયત્નોને બમણા કરીશું,” મંત્રીએ વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ ડિજિટલ સમિટના સત્રમાં જણાવ્યું હતું.
વેપાર સંબંધોને મજબૂત કરવા પર મંત્રીએ કહ્યું આવું
‘ગ્લોબલ સાઉથ’ એ વ્યાપકપણે એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ દેશોનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું, “આપણે નવી ભાગીદારી અને સિસ્ટમો બનાવવાની જરૂર છે. જેથી નિર્ણય લેતી વખતે ‘ગ્લોબલ સાઉથ’નો અવાજ સંભળાય.” વેપાર સંબંધોને મજબૂત કરવા પર મંત્રીએ કહ્યું કે, ભારત નોંધપાત્ર વેપાર ક્ષમતાનો લાભ લેવા માટે ‘ગ્લોબલ સાઉથ’ના દેશો સાથે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તૈયાર છે.
કુદરતી ચેપ રસી કરતાં વધુ સારી છે
મળતી માહિતી મુજબ નિષ્ણાતો કહે છે કે, ભારતમાં કોરોના મહામારીના ઘણા શિખરો આવી ગયા છે. લોકો કુદરતી ચેપનો શિકાર બન્યા છે. ચેપથી બનેલી રોગપ્રતિકારક શક્તિ રસી કરતા ઘણી સારી છે. કુદરતી ચેપ ધરાવતા લોકો પણ કોવિડનું સંક્રમણ ઘટાડે છે. તેથી જ કોવિડથી ચેપગ્રસ્ત લોકોમાં રસીની કોઈપણ માત્રા લેવાની ભલામણ કરવામાં આવતી નથી.
(ભાષા ઇનપુટ)