રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાના મુસ્લિમોએ લખ્યો પત્ર, વાંચો વિગત
રામમંદિરને લઈને એક ટ્ર્સ્ટનું બનાવી દેવાયું છે અને સરકારે આ અંગે સંસદમાં જાહેરાત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રામમંદિરને ટ્ર્સ્ટ દ્વારા બનાવવાનું કહીને તેને 67 એકર જમીન આપી તો મસ્જિદ માટે પણ અયોધ્યામાં જ જમીન આપી છે. જો કે આ મામલે એક પત્ર ટ્રસ્ટને લખવામાં આવ્યો છે કે જે […]
રામમંદિરને લઈને એક ટ્ર્સ્ટનું બનાવી દેવાયું છે અને સરકારે આ અંગે સંસદમાં જાહેરાત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રામમંદિરને ટ્ર્સ્ટ દ્વારા બનાવવાનું કહીને તેને 67 એકર જમીન આપી તો મસ્જિદ માટે પણ અયોધ્યામાં જ જમીન આપી છે. જો કે આ મામલે એક પત્ર ટ્રસ્ટને લખવામાં આવ્યો છે કે જે 67 એકર જમીન પર રામમંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યાં 4-5 એકર જમીનમાં કબ્રસ્તાન પણ હતું.
આ પણ વાંચો : રામ મંદિર નિર્માણની તારીખ થઈ શકે છે જાહેર, ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ
શું કબ્રસ્તાન પર બનાવી શકાય મંદિર? જે પત્ર અયોધ્યાના 10 નિવાસીઓ દ્વારા રામમંદિરના ટ્ર્સ્ટીઓને લખવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્ર્સ્ટ સદસ્યોથી અનુરોધ છે કે તેઓ આ વાત પર વિચાર કરે કે શું રામમંદિરનું નિર્માણ કબ્રસ્તાન પર થઈ શકે છે? પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ભલે ત્યાં કોઈ કબ્ર ના દેખાઈ પણ તે કબ્રસ્તાન જ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ટ્ર્સ્ટને વિચાર કરવા માટે અપીલ આ પત્રમાં કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે 1949થી 1992 સુધી આ જગ્યાઓ અન્ય કામ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે સનાતન ધર્મના જ્ઞાતાઓ છો તો તમે આ બાબતે વિચાર કરો. કેન્દ્ર સરકારે આ બાબતે વિચાર ના કર્યો પણ તમને વિનંતી છે કે તમે આ બાબત પર વિચાર કરો કે શું ભગવાન રામના મંદિરનો પાયો કબ્રસ્તાન પર રાખી શકાય?
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]