પટના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસઃ 9 આરોપીઓ દોષિત, 1 નવેમ્બરે ફરમાવાશે સજા

આ એક યોગાનુયોગ છે કે કોર્ટે ગાંધી બ્લાસ્ટ કેસમાં ન્યાય માટે એ જ તારીખ પસંદ કરી હતી જે તારીખે બ્લાસ્ટ થયા હતા.

પટના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસઃ 9 આરોપીઓ દોષિત, 1 નવેમ્બરે ફરમાવાશે સજા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 1:08 PM

Patna Gandhi Maidan Blast Case: આઠ વર્ષ પહેલા આજના દિવસે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન સિરિયલ બ્લાસ્ટ કરીને અંધાધૂંધી સર્જનારાઓને હવે સજા ભોગવવી પડશે. NIA કોર્ટના જજે બુધવાર 27મી ઓક્ટોબરે આ કેસમાં 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. NIA કોર્ટ આ કેસમાં સજા માટે 1 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. બધાની નજર આ નિર્ણય પર ટકેલી હતી. ચુકાદો આવતાની સાથે જ કોર્ટમાં હાજર દોષિતોના ચહેરા પર મૌન છવાઈ ગયું હતું.

બુધવારે સવારથી જ પટના સિવિલ કોર્ટ પરિસરમાં એક પ્રકારની ઉત્સુકતા પ્રસરી ચૂકી હતી. આઠ વર્ષ પછી ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં શું ન્યાય થશે તે બધા જાણવા માંગતા હતા. આ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 89 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બુધવારે આવેલા ચુકાદાથી તેમના પરિવારજનોએ થોડી રાહત અનુભવી છે. ચુકાદા માટેની સુનાવણી શરૂ થાય તે પહેલા તમામ આરોપીઓને બુધવારે સવારે બેઉર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ પછી કોર્ટમાં સજાના મુદ્દાઓ પર સુનાવણી શરૂ થઈ હતી.

પાંચ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં બોધગયા બ્લાસ્ટ કેસમાં બેઉર જેલમાં બંધ 10માંથી પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં તમામ પક્ષકારોની જુબાની બાદ NIA કોર્ટે ચુકાદો જાહેર કરવા માટે 27 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. આ એક યોગાનુયોગ છે કે કોર્ટે ગાંધી બ્લાસ્ટ કેસમાં ન્યાય માટે એ જ તારીખ પસંદ કરી હતી જે તારીખે બ્લાસ્ટ થયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ

કેપ્ટન અમરિન્દર સિંહની મોટી જાહેરાત, કહ્યું નવી પાર્ટી બનાવી રહ્યો છું, પંજાબની તમામ 117 સીટ પર ચૂંટણી લડીશ, નામ નહીં આપી શકું

આ પણ વાંચોઃ

ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">