Passport : જાણો પાસપોર્ટમાં હસતા ચહેરાવાળો ફોટો શા માટે લગાવવામાં આવતો નથી !
જ્યારે તમે પાસપોર્ટ કઢાવવા માટે જાઓ છો, ત્યારે તમને હસવાની મનાઈ કરવામાં આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે આવી સૂચનાઓ શા માટે આપવામાં આવે છે? ત્યારે આજે તમને જણાવીશું કે પાસપોર્ટમાં હસતા ચહેરાવાળો ફોટો શા માટે લગાવવામાં આવતો નથી.
પાસપોર્ટએ કોઈ પણ દેશની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર દસ્તાવેજ (Document)છે, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કોઈપણ વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે. પાસપોર્ટ વિના કોઈ પણ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય પ્રવાસ (International travel)કરી શકતા નથી. ઉપરાંત,પાસપોર્ટ વિના પ્રવાસ કરવો એ ગેરકાયદેસર છે અને આ માટે સજા પણ થઈ શકે છે.
જ્યારે તમે પાસપોર્ટ કઢાવવા માટે જાઓ છો, ત્યારે તમને હસવાની મનાઈ કરવામાં આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે આવી સૂચનાઓ શા માટે આપવામાં આવે છે? ત્યારે આજે તમને જણાવીશું કે પાસપોર્ટમાં હસતા ચહેરાવાળો ફોટો શા માટે લગાવવામાં આવતો નથી.
અમેરિકામાં થયેલા હુમલા બાદ પાસપોર્ટમાં થયા ફેરફાર
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા પાસપોર્ટ ફોટામાં ચશ્મા પહેરવાની સ્વતંત્રતા હતી. પરંતુ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center) પર 26/11 ના હુમલા બાદ બધુ બદલાઈ ગયું. કેટલાક દેશોના પાસપોર્ટ પર ચિપ હોય છે, જેમાં સંબંધિત વ્યક્તિનો સંપૂર્ણ ડેટા હોય છે. ઉપરાંત પાસપોર્ટના ફોટામાં ચહેરાના આકાર વિશે પણ સંપૂર્ણ માહિતી હોય છે. જેમ કે બંને આંખો વચ્ચેનું અંતર, નાક અને મોંની પહોળાઈ વગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે તમે એરપોર્ટના (Airport) ગેટ પરથી પ્રવેશ મેળવો છો, ત્યારે તેમાં લાગેલા કેમેરા દ્વારા તમારી ઓળખાણ થાય છે. જો તમારા પાસપોર્ટમાં લાગેલો ફોટો અથવા તમારો ચહેરો બાયોમેટ્રિકમાં(BioMatric) મળી જાય છે, તો તમને સરળતાથી પ્રવેશ મળે છે. જો તમારે ચહેરો મળતો નથી તો તમે શંકાના દાયરામાં આવો છો. આથી પાસપોર્ટ લેતી વખતે સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે.
આ પણ વાંચો: બાઈડન ભારત સાથે મજબુત દોસ્તી ઈચ્છે છે, ભારતને વેક્સિનના વધુ 25 મિલિયન ડોઝ આપવામાં આવશે: એન્ટની બ્લિકેન