Railway : ખુશખબર, મુસાફરોને રેલવે સ્ટેશન પર જ મળશે માત્ર 40 રૂપિયામાં શાનદાર રુમ, PNR નંબરથી કરાવી શકાય છે બુકિંગ

જો તમે પણ વારંવાર ટ્રેનની મુસાફરી કરો છો તો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને તમે 20 થી 40 રુપિયામાં તમે એક શાનદાર રુમ બુક કરાવી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારા પાસે PNR નંબર હોવો જરુરી છે.

Railway : ખુશખબર, મુસાફરોને રેલવે સ્ટેશન પર જ મળશે માત્ર 40 રૂપિયામાં શાનદાર રુમ, PNR નંબરથી કરાવી શકાય છે બુકિંગ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 1:44 PM

ભારતીય રેલવેમા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેનો લાભ મેળવીને આપણે હજારો રુપિયા બચાવી શકીએ છીએ. પરંતુ ઘણા લોકો આ સુવિધા વિશે માહિતગાર હોતા નથી. શિયાળામાં ધુમ્મસ અને ઠંડીના કારણે ઘણી વાર ટ્રેન મોડી પડે છે. જેના કારણે મુસાફરોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમે પણ વારંવાર ટ્રેનની મુસાફરી કરો છો તો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો . તમે 20 થી 40 રુપિયામાં એક શાનદાર રુમ બુક કરાવી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારા પાસે PNR નંબર હોવો જરુરી છે.

ટ્રેન મોડી હોય ત્યારે મદદરુપ

શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી પડે છે. આવી પરિસ્થિતિમાં મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર ટ્રેન 2, 4 અને 8 કલાક પણ મોડી પડે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને મોંઘી હોટલોમા રાત્રી રોકાણ કરવુ પડે છે. પરંતુ મોટાભાગના લોકો નાણાના અભાવના કારણે રેલવે સ્ટેશન પર જ ઠંડા પવનમા બેસવા માટે મજબૂર હોય છે.

આવી સ્થિતિમાં તમે રેલવેના રિટાયરિંગ રૂમનો લાભ લઈ શકો છો. અહીં તમે 48 કલાક રોકાઈ શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે અહીં તમે ખૂબ જ ઓછા પૈસામા આ સુવિધાનો લાભ મેળવી શકો છો. અહીં તમારી પાસે ચાર્જ માત્ર 20 થી 40 રૂપિયા જ લેવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : ભારતના આ છે ટોપ 5 લક્ઝરી ક્રૂઝ , જેમાં ઓછા ખર્ચે તમે મુસાફરીનો આનંદ માણી શકો છો !

આ રીતે રિટાયરિંગ રૂમ બુક કરો

હવે તમારી સામે સૌથી મોટી સમસ્યા એ છે કે રિટાયરિંગ રૂમનું બુકીંગ કેવી રીતે કરી શકાય. આ માટે તમારે PNR નંબરની જરૂર પડે છે. જેનાથી તમે રિટાયરિંગ રૂમનું બુકિંગ PNR નંબર દ્વારા કરવી શકો છો. મોટાભાગના રેલવે સ્ટેશનો પર તમને AC અને Non AC (AC/Non AC) રૂમના વિકલ્પ મળે છે. તમે આ https://www.rr.irctctourism.com/#/home વેબસાઇટ દ્વારા તમારા રુમની બુકીંગ કરી શકો છો.

આ સુવિધા એવા મુસાફરો માટે જ છે જે લોકો પાસે કન્ફર્મ ટિકિટ અથવા આરએસી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી. તમને જણાવી દઈએ કે જો તમે 500 કિમીથી વધુની મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સુવિધા તમને જનરલ ટિકિટ પર પણ મેળવી શકાય છે. આ સિવાય એક PNR નંબર પર માત્ર એક રૂમની નોંધણી કરાવી શકાય છે.આ સુવિધા દેશના મુખ્ય રેલવે સ્ટેશ જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ પર ઉપલબ્ધ છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">