Parliament LIVE : જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે : અમિત શાહ
Parliament LIVE : JDU-TRSએ જમ્મુ-કાશ્મીર પુન:ગઠન સુધારણા બિલને ટેકો આપ્યો, ચર્ચા ચાલુ
Parliament LIVE : આજે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં બજેટ અંગેની ચર્ચા પર જવાબ આપ્યો. આ અંગે ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું. રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે સમાપ્ત થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પુર્નરચના બિલ અંગે સદનમાં ચર્ચા થઇ. જેમાં વિપક્ષ પર ગૃહપ્રધાન અમિત શાહ વરસ્યા હતા.
LIVE NEWS & UPDATES
-
17 મહિનાનો હિસાબ માંગતા પહેલા 70 વર્ષનો તમે હિસાબ આપો : અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “કલમ 370 કોના દબાણ હેઠળ આટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો ? તમે 17 મહિનામાં હિસાબ માગો છો, જ્યારે કામચલાઉ કલમ 370, 70 વર્ષ ચાલે ત્યારે તમે શા માટે હિસાબ માગતા નથી ?
-
ચાર પેઢીઓએ જે કામ ન કર્યું તે અમે દોઢ વર્ષમાં કર્યું : અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાં ચાર પેઢી દ્વારા જે કામ નથી કરવામાં આવ્યા તે કામ અમે દોઢ વર્ષમાં પૂર્ણ કર્યા છે.
आपकी चार पीढ़ी ने जो काम किया है वो काम हमने डेढ़ साल के अंदर किया है: लोकसभा में गृह मंत्री अमित शाह pic.twitter.com/zkPjGbW4gJ
— ANI_HindiNews (@AHindinews) February 13, 2021
-
-
2022 પહેલાં 25 હજાર બેરોજગારોને નોકરી અપાશે: અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અમારી પ્રાથમિકતા છે અને અત્યાર સુધીમાં 28 યોજનાઓ પૂર્ણ થઈ છે. સાથે એમ પણ કહ્યું હતું કે 2022 પહેલા જમ્મુ-કાશ્મીરના બેરોજગારોને 25 હજાર નોકરી આપવામાં આવશે.
-
જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અમારી પ્રાથમિકતા છે: અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અમારી પ્રાથમિકતા છે અને તે આપણા હૃદયમાં છે. તે જ સમયે, વોટ બેંકની રાજનીતિને કારણે, કાશ્મીરમાં કલમ 370 ચાલુ રહી.
-
કોના દબાણ હેઠળ કલમ 370 આટલા લાંબા સમય સુધી ચાલુ રહી: અમિત શાહ
લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે પૂછ્યું કે આટલા લાંબા સમય સુધી કલમ 370 કોના દબાણ હેઠળ ચાલે છે ? તમે 17 મહિનાનો હિસાબ માગો છો, જ્યારે કામચલાઉ કલમ 370, 70 વર્ષ ચાલે ત્યારે તમે શા માટે પૂછ્યું નહીં? કામચલાઉ જોગવાઈને ઉથલાવી નાંખી કારણ કે મત બેંકની રાજનીતિ કરવી હતી.
किसके दबाव में धारा 370 को इतने समय तक चालू रखा? आप 17 महीने में हिसाब मांगते हो, 70 साल तक जब अस्थायी धारा 370 चली उस वक़्त हिसाब क्यों नहीं मांगते थे? अस्थायी प्रावधान को नहीं उखाड़ा क्योंकि वोट बैंक की राजनीति करनी थी: गृह मंत्री pic.twitter.com/33VXPCL2d9
— ANI_HindiNews (@AHindinews) February 13, 2021
-
-
જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે: અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ બિલ (જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ, 2021) નો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા સાથે કંઈ લેવાદેવા નથી, જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
इस बिल(जम्मू-कश्मीर पुनर्गठन(संशोधन) विधेयक, 2021) का जम्मू-कश्मीर को राज्य का दर्जा देने से कोई लेना-देना नहीं है, उपयुक्त समय पर जम्मू-कश्मीर को राज्य का दर्जा दिया जाएगा: गृह मंत्री अमित शाह pic.twitter.com/0RYd0wBhFY
— ANI_HindiNews (@AHindinews) February 13, 2021
-
કાશ્મીરમાં અત્યાર સુધીમાં ફક્ત 3 પરિવારોએ શાસન કર્યું, તેથી કલમ 370 મામલે મુશ્કેલી: અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં અત્યાર સુધીમાં ફક્ત 3 જ લોકોના પરિવાર શાસન કરી રહ્યા છે. અને તેથી તેઓને 370 લાગુ કરવા મામલે મુશ્કેલી પડી છે. અમિત શાહે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં પંચાયતી રાજની સ્થાપના કરી. ચૂંટણીમાં ગડબડ થઇ હોવાનો કોઈ પણ આરોપ લગાવી શકશે નહીં. જમ્મુ કાશ્મીરના તમામ લોકો ભારત માતાના સંતાનો છે. અહીંનો રાજા હવે રાણીના પેટમાંથી જન્મશે નહીં, પરંતુ તે મત દ્વારા ચૂંટીને આવશે.
-
સૌ પ્રથમ પોતાના પર નજર કરો અને જુઓ કે અમે જવાબદાર છીએ કે નહીં: અમિત શાહ
શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર પુનર્રચના સુધારણા બિલ અંગે લોકસભામાં કહ્યું હતું કે, જેમને પેઢીઓ સુધી શાસન કરવાની તક આપવામાં આવી છે. તેઓની ગરીબી તરફ ધ્યાન આપો અને જુઓ કે આપણે હિસાબ માંગવા માટે સક્ષમ છીએ કે નહીં.
यहां कहा गया कि धारा 370 हटाने के वक़्त जो वादे किए गए थे उसकी दिशा में क्या किया गया? धारा 370 हटे हुए 17 महीने हुए और आप हमसे हिसाब मांग रहे हो, 70 साल आपने क्या इसका हिसाब लेकर आए हो? अगर 70 ढंग से चलाते तो हमसे हिसाब मांगने का समय ही नहीं आता: लोकसभा में गृह मंत्री pic.twitter.com/ZsEN6KeTMn
— ANI_HindiNews (@AHindinews) February 13, 2021
-
લોકસભામાં અમિત શાહનો વિપક્ષને સણસણતો સવાલ, તમે 70 વર્ષ શું કર્યું ?
શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારણા બિલ અંગે લોકસભામાં કહ્યું કે વિપક્ષ અમારી પાસે કલમ 370 વિશે 17 મહિનાથી જવાબ માંગી રહ્યાં છે. તો મારો સવાલ છેકે તમે 70 વર્ષના શાસનમાં શું કર્યું ?
यहां कहा गया कि धारा 370 हटाने के वक़्त जो वादे किए गए थे उसकी दिशा में क्या किया गया? धारा 370 हटे हुए 17 महीने हुए और आप हमसे हिसाब मांग रहे हो, 70 साल आपने क्या इसका हिसाब लेकर आए हो? अगर 70 ढंग से चलाते तो हमसे हिसाब मांगने का समय ही नहीं आता: लोकसभा में गृह मंत्री pic.twitter.com/ZsEN6KeTMn
— ANI_HindiNews (@AHindinews) February 13, 2021
Published On - Feb 13,2021 3:17 PM