President Election: યશવંત સિન્હા વિપક્ષના ઉમેદવાર, જયરામ રમેશે કરી જાહેરાત
કેટલાક વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાનાર ભાજપના ભૂતપૂર્વ નેતા સિંહાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર સહમતિ બની હતી.
રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 (President Election 2022) માટે વિપક્ષે પોતાના સામાન્ય ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. વિપક્ષ તરફથી યશવંત સિંહા (Yashwant Sinha) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના નામ પર રાષ્ટ્રપતિ ચૂંટણીના સંભવિત સંયુક્ત ઉમેદવાર તરીકે વિચાર કરી રહ્યો હતો. કેટલાક વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાનાર ભાજપના ભૂતપૂર્વ નેતા સિંહાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર સહમતિ બની હતી. તમને જણાવી દઈએ કે સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂક્યા છે. પ્રથમ વખત તેઓ 1990માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણામંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી પણ હતા.
Opposition parties unanimously decided that #YashwantSinha will be the common candidate of the Opposition for the #PresidentialElections#TV9News pic.twitter.com/KwzR8SqwBm
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2022
શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીને પણ મળ્યો હતો પ્રસ્તાવ
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની આગામી રણનીતિને લઈને NCP નેતા શરદ પવારના નિવાસસ્થાને 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક ચાલી રહી હતી. સીપીઆઈ નેતા ડી રાજા બેઠકમાં હાજરી આપવા માટે પવારના દિલ્હી નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ સિવાય સીપીઆઈ નેતા સીતારામ યેચુરી પણ પવારના ઘરે પહોંચી ગયા હતા.
આ પહેલા સોમવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યા બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ગાંધીજીના પ્રપૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ વિરોધ પક્ષોના નેતાઓની વિનંતીને ફગાવી દીધી હતી.
I am grateful to Mamataji for the honour and prestige she bestowed on me in the TMC. Now a time has come when for a larger national cause I must step aside from the party to work for greater opposition unity. I am sure she approves of the step.
— Yashwant Sinha (@YashwantSinha) June 21, 2022
ટીએમસીના ઉપાધ્યક્ષ યશવંત સિંહાએ આજે સવારે ટ્વીટ કર્યું અને કહ્યું, “મમતાજીએ મને ટીએમસીમાં જે સન્માન અને પ્રતિષ્ઠા આપી છે તેના માટે હું તેમનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે મોટા રાષ્ટ્રીય હેતુ માટે મારે પક્ષ કરતાં વિપક્ષી એકતા માટે વધુ કામ કરવું જોઈએ.”