Prime Minister Modi’s UAE visit વિદેશી નાણાથી લઈને મોટા બિઝનેસ સુધીની તક, જાણો UAE ભારત માટે કેટલું મહત્વનું ?

ભારત અને UAE વચ્ચેના સંબંધો પહેલાથી જ ખૂબ જ મજબૂત છે અને UAE ભારત માટે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીએ છીએ કે ભારત અને UAE વચ્ચેના સંબંધો કેવા છે, ભારત માટે UAE કેટલું મહત્વપૂર્ણ છે.

Prime Minister Modi's UAE visit વિદેશી નાણાથી લઈને મોટા બિઝનેસ સુધીની તક, જાણો UAE ભારત માટે કેટલું મહત્વનું ?
PM Modi has left for UAE after Germany ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 12:20 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટની (G7 Summit) બેઠકમાં ભાગ લેવા માટે જર્મની ગયા હતા. હવે પીએમ મોદી જર્મનીથી UAE (PM Narendra Modi In UAE) જવા રવાના થયા છે. અહીં પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના (United Arab Emirates) પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શ્રદ્ધાંજલિ આપશે. તમને જણાવી દઈએ કે યુએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું 13 મેના રોજ અવસાન થયું હતું. PM મોદીની UAEની મુલાકાત માત્ર એક દિવસની હશે એટલે કે, આજે 28 જૂને PM મોદી UAEથી સ્વદેશ પરત ફરશે.

PM મોદીની જર્મની બાદ UAEની એક દિવસીય મુલાકાત બાદ ફરી એકવાર સ્પષ્ટ થઈ રહ્યું છે કે UAE ભારત માટે કેટલું મહત્વનું છે. ભારત અને UAE વચ્ચેના સંબંધો પહેલાથી જ ખૂબ જ મજબૂત છે અને UAE ભારત માટે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીએ છીએ કે ભારત અને UAE વચ્ચેના સંબંધો કેવા છે, ભારત માટે UAE કેટલું મહત્વપૂર્ણ છે.

UAE ભારત માટે કેટલું મહત્વનું છે?

UAE સહિત 7 ગલ્ફ દેશો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દેશોમાં ઈરાક, કુવૈત, બહેરીન, કતાર, યુએઈ, ઓમાન, સાઉદી અરેબિયા વગેરેનો સમાવેશ થાય છે. આ ખાડી દેશોમાં UAEનું મહત્વનું સ્થાન છે. ક્રૂડ ઓઈલ અને ભારતમાં આવતા વિદેશી નાણા અને નિકાસના સંદર્ભમાં ભારતનો UAE સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે. UAE ભારત માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે એવું કહેવાય છે કે UAE માં દરેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે અને આ કારણથી UAE સાથે ભારતના સંબંધો રાખવા જરૂરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઈંધણના સંદર્ભમાં UAE કેટલું મહત્વનું ?

​​જો આપણે ઈંધણ પર નજર કરીએ તો, દેશના 60 ટકા ક્રૂડ ઓઇલ ગલ્ફ દેશોમાંથી આવે છે. તેમાંથી 9 ટકા તેલ યુએઈમાંથી આવે છે, જ્યારે 22 ટકા ઈરાકમાંથી અને 19 ટકા સાઉદી અરેબિયામાંથી આવે છે.

વિદેશથી આવતા નાણામાં UAE મોખરે

જો વિદેશથી આવતા નાણાની વાત કરીએ તો ભારતમાં વિદેશથી આવતા લગભગ અડધા નાણાં માત્ર 5 ગલ્ફ દેશોમાંથી આવે છે. ભારતમાં ખાડી દેશો પૈકી, 26.9 ટકા નાણાં યુએઈમાંથી આવે છે. આ પછી 11.6 ટકા નાણાં સાઉદી અરેબિયાથી, 6.5 ટકા નાણાં કતારથી, 5.5 ટકા નાણાં કુવૈતથી અને 3 ટકા નાણાં ઓમાનથી આવી રહ્યા છે.

નિકાસમાં UAE ઘણું આગળ

વેપારના દૃષ્ટિકોણથી ગલ્ફ દેશો સાથે પણ ભારતના સારા સંબંધો છે. UAE પોતે ભારતમાંથી એટલી બધી વસ્તુઓની નિકાસ કરે છે કે તે ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારતે UAEમાં 28853.6 યુએસ ડોલરની નિકાસ કરી છે, જે ભારતની કેટલીક નિકાસમાં 9.2 ટકા હિસ્સો ધરાવે છે. ભારતની નિકાસમાં 9.2 હિસ્સો UAEનો છે. આ સિવાય ભારતે ઓમાનમાં 2261.8 યુએસ ડોલર, ઇરાકમાં 1878.2 યુએસ ડોલર, કુવૈતમાં 1286.6 યુએસ ડોલર કર્યા છે.

UAE માં ભારતના ઘણા લોકો વસે છે

UAE માં ભારતના ઘણા લોકો રહે છે. UAE માં રહેતો દરેક ત્રીજો નાગરિક ભારતીય છે. UAEમાં 3425144 ભારતીય નાગરિકો રહે છે અને તેઓ ત્યાંની વસ્તીના 34.60 ટકા છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">