Azad Hind Formation Anniversary: સુભાષ ચંદ્ર બોઝે આજના દિવસે બનાવી હતી સરકાર, જાણો આ સાથે જોડાયેલી રોચક વાતો

Subhas Chandra Bose: કામચલાઉ સરકારમાં સુભાષચંદ્ર બોઝ વડા પ્રધાન બન્યા અને યુદ્ધ અને વિદેશ બાબતોના મંત્રી પણ બન્યા. આ સિવાય આ સરકારમાં વધુ ત્રણ મંત્રીઓ હતા. 16 સભ્યોની મંત્રી સ્તરની સમિતિ પણ હતી.

Azad Hind Formation Anniversary: સુભાષ ચંદ્ર બોઝે આજના દિવસે બનાવી હતી સરકાર, જાણો આ સાથે જોડાયેલી રોચક વાતો
Shubhash Chandra Bose
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:05 AM

Fact of the day: 21 ઓક્ટોબરનો દિવસ ખાસ છે કારણ કે આ દિવસે 1943 માં સુભાષચંદ્ર  બોઝે (Shubhas Chandra Bose) આઝાદ હિન્દ ફોજ (Azad Hind Fauj) ના સર્વોચ્ચ કમાન્ડર તરીકે સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર (Provisional government) ‘આઝાદ હિન્દ સરકાર’ (Azad Hind Sarkar) ની રચના કરી હતી. તેને જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, ઇટાલી, મંચુકુઓ અને આયર્લેન્ડ સહિત 11 દેશોની સરકારો દ્વારા માન્યતા આપવામાં આવી હતી.

જાપાને આ કામચલાઉ સરકારને આંદામાન અને નિકોબાર ટાપુઓ આપ્યા હતા. સુભાષચંદ્ર તે ટાપુઓ પર ગયા અને ફરીથી નામ બદલ્યું. આ સરકાર આઝાદ હિંદ સરકાર તરીકે ઓળખાતી હતી. આ સરકાર પાસે તેની સેનાથી બેંક સુધીની વ્યવસ્થા હતી.

સુભાસ બોઝની આઝાદ હિન્દ ફોજમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી હતા. તેના વિચારથી લઈને તેની રચના સુધી અનેક સ્તરે અનેક લોકો વચ્ચે વાતચીત થતી હતી. કામચલાઉ સરકારનું કામ અંગ્રેજો અને તેમના મિત્રોને ભારતમાંથી હાંકી કાવાનું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતીયોની ઈચ્છાઓ અને તેમની શ્રદ્ધા અનુસાર આઝાદ હિંદની કાયમી સરકાર બનાવવી પણ આ સરકારનું કામ હતું. કામચલાઉ સરકારમાં સુભાષચંદ્ર બોઝ વડા પ્રધાન બન્યા અને યુદ્ધ અને વિદેશ બાબતોના મંત્રી પણ બન્યા. આ સિવાય આ સરકારમાં વધુ ત્રણ મંત્રીઓ હતા. 16 સભ્યોની મંત્રી સ્તરની સમિતિ પણ હતી.

બોઝની આ સરકારને જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, કોરિયા, ઇટાલી, માંચુકુઓ અને આયર્લેન્ડ દ્વારા તાત્કાલિક માન્યતા આપવામાં આવી હતી. જાપાને આ કામચલાઉ સરકારને આંદામાન અને નિકોબાર ટાપુઓ આપ્યા. નેતાજી તે ટાપુઓ પર ગયા. તેમને નવું નામ આપ્યું.

આંદામાનનું નામ બદલીને શહીદ દ્વીપ અને નિકોબારને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું. 30 ડિસેમ્બર 1943 ના રોજ આ ટાપુઓ પર સ્વતંત્ર ભારતનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. ઇમ્ફાલ અને કોહિમાના મોરચે ઘણી વખત ભારતીય બ્રિટીશ આર્મીને આઝાદ હિંદ ફોજ દ્વારા યુદ્ધમાં પરાજિત કરવામાં આવી હતી.

દેશના ઇતિહાસમાં 21 ઓક્ટોબરની તારીખે નોંધાયેલી અન્ય મહત્વની ઘટનાઓ 1296: અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીની ગાદી સંભાળી.

1555: ઇંગ્લેન્ડની સંસદે ફિલિપને સ્પેનના રાજા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો.

1577: ગુરુ રામદાસે અમૃતસર શહેરની સ્થાપના કરી.

1805: ટ્રફાલ્ગરનું યુદ્ધ સ્પેનના દરિયાકિનારે થયું.

1934: જયપ્રકાશ નારાયણ દ્વારા કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના કરવામાં આવી.

1954: ભારત અને ફ્રાન્સ વચ્ચે પુડુચેરી, કારાયકલ અને માહેને ભારતીય પ્રજાસત્તાકમાં સમાવવા માટે કરાર કરવામાં આવ્યા.

2005: સામુહિક બળાત્કારનો ભોગ બનેલી પાકિસ્તાનની મુખ્તરણ માઇને વુમન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી.

2014: પ્રખ્યાત પેરાલિમ્પિક દોડવીર ઓસ્કર પિસ્ટોરિયોસને ગર્લફ્રેન્ડ રીવા સ્ટેનકેમ્પની હત્યા કરવા બદલ પાંચ વર્ષની જેલની સજા થઈ.

આ પણ વાંચો: Corona Vaccine : ફાઇઝર બાદ મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનના બુસ્ટર ડોઝને મંજૂરી આપતું FDA

આ પણ વાંચો: હવે પેટ્રોલ-ડીઝલની નહીં રહે જરુર ! 60-62 રૂપિયા વાળા ઈંધણ પર ચાલશે કાર, જાણો શું છે નિતિન ગડકરીનો પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">