લો આટલા નજીવા કારણ માટે વરરાજાએ ન કર્યા લગ્ન અને લગ્ન સમારોહમાંથી નીકળી ગયો!
ઓરિસ્સમાંથી સામે આવ્યો વિચિત્ર કિસ્સો લગ્નમાં મટન ન પીરસાતા વરરાજ લગ્ન કર્યા વગર જ સમારોહમાંથી નીકળી ગયો.
લોકો ઘણીવાર નજીવા કારણ માટે લગ્ન તોડી દેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઓરિસ્સાના જાજપુરમાંથી (Jajpur). ઓરિસ્સાના જાજપુરમાં એક લગ્ન દરમિયાન એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં સુર્કિંડામાં લગ્નમાં મટન ન બનવાના કારણે વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી. 27 વર્ષના વરરાજા રમાકાંત પાત્રાને લગ્ન કર્યા વગર ઘરે પરત ફરવુ સારુ ન લાગ્યુ તો તેઓએ બીજી કન્યા સાથે લગ્ન કરી લીધા. આ થોડુ વિચિત્ર લાગશે પરંતુ આ હકીકત છે.
એક ન્યુઝ પેપરના રિપોર્ટ પ્રમાણે રેબનપાલસપાલ નિવાસી પાત્રા બુધવાર બપોરે લગ્ન કરવા માટે જાન સાથે સુર્કિંડા બ્લોકના બાંધ ગામ પહોંચ્યા હતા. કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા બાદ કન્યાપક્ષના લોકોએ તેમનું સ્વાગત કર્યુ અને જરુરી રિવાજો પૂર્ણ કર્યા બાદ જમણવાર માટે તેઓને ડાઈનિંગ હૉલમાં લઈ જવાયા.
જાનૈયાઓએ જમવાનું પીરસતા પહેલા મટનની માગ કરી. મટન ન મળતા જાનૈયાઓ પીરસનારા તેમજ કન્યાના પરિવારના લોકો સાથે ચર્ચા કરી, ચર્ચા ઘણી આગળ વધી ગઈ. જ્યારે વરરાજાને ખબર પડી કે જમવામાં મટન નથી બનાવવામાં આવ્યુ તો તેણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.
જો કે કન્યા પક્ષના લોકોએ વરરાજાને મનાવવાની કોશિશ કરી, પરંતુ વરરાજાએ લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો અને તે જાન સાથે ત્યાંથી ચાલ્યો ગયો. જો કે ઘરે પરત ફરે તે પહેલા તેણે એ જ રાત્રે બીજી એક છોકરી સાથે લગ્ન કરી લીધા.
આ પણ વાંચો: Rajkot : ખુલ્લેઆમ દેશી દારૂના વેપારનો Video આવ્યો સામે, શાકભાજીની જેમ બિન્દાસ્ત ખરીદી રહ્યા છે દેશી દારૂ !
આ પણ વાંચો: Surat : પલસાણાની જે.ડી.રેસ્ટોરન્ટમાં હથિયારીધારી શખ્સો દ્વારા હુમલો અને લૂંટ, આરોપીઓ ફરાર