વિદેશથી આવનાર સંક્રમિત યાત્રીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે, ઓમિક્રોનના વધતા ભય વચ્ચે દિલ્હી સરકારનો આદેશ

દિલ્હી એરપોર્ટ પર આવતા સંક્રમિત વિદેશી પ્રવાસીઓને જિલ્લાઓમાં અલગ કરેલી હોટેલો અને કોવિડ કેર સેન્ટર્સમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે. આ સુવિધા પેઈડ અને ફ્રી બંને રીતે મળશે.

વિદેશથી આવનાર સંક્રમિત યાત્રીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે, ઓમિક્રોનના વધતા ભય વચ્ચે દિલ્હી સરકારનો આદેશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:48 PM

રાજધાની દિલ્હીમાં (Delhi) ફરી એકવાર કોરોના વાઈરસના (Corona Virus) સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. ઓમિક્રોનના (Omicron) રૂપમાં દસ્તક આપી રહેલા કોરોનાના નવા પ્રકારને કારણે દિલ્હીની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. દિલ્હી સરકાર દ્વારા ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, જેથી ચેપને રોકી શકાય.

આવી સ્થિતિમાં વિદેશથી આવતા લોકો પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવે રાજધાનીમાં વિદેશથી આવતા ચેપગ્રસ્ત લોકોને અલગ કોવિડ કેર સેન્ટર અને હોટલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર બહારથી આવતા સંક્રમિત વિદેશી પ્રવાસીઓને જિલ્લાઓમાં અલગથી ઓળખાયેલી હોટેલો અને કોવિડ કેર સેન્ટર્સમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે.

આ સુવિધા પેઈડ અને ફ્રી બંને રીતે મળશે. અગાઉ તમામ સંક્રમિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી જેઓ નેગેટિવ આવ્યા હતા તેમને તેમના ઘરમાં એકાંતમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ચેપગ્રસ્તોને હોટલ અને કોવિડ કેર સેન્ટર્સમાં અલગ રાખવામાં આવ્યા હતા. હવે વિદેશથી આવનારા નાગરિકો કે જેઓ સંક્રમિત જોવા મળશે, તેમને અલગથી ઓળખાયેલી હોટલ અને કેન્દ્રોમાં રાખવામાં આવશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 30 નવેમ્બર, 2021ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને કોવિડ કેર સેન્ટર્સમાં ચૂકવણી અથવા મફતમાં જવાની મંજૂરી આપવામાં આવશે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરાયેલ હોટેલો ચાલુ રાખવામાં આવશે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત ટીમોએ સૂચના અનુસાર આવા કેસ ટ્રાન્સફર કરવા જોઈએ.

ઓમિક્રોનની દસ્તક બાદ રાજધાનીમાં ફરી એકવાર કેસ વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઓમિક્રોન સંક્રમણના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટ સહિત તમામ જિલ્લા અદાલતોએ પણ શારીરિકને બદલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દિલ્હી હાઈકોર્ટ અને અન્ય જિલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે આદેશ જાહેર કરીને કહ્યું છે કે આ નિર્ણય કોવિડ-19થી થતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

Bengal Corona Updates: કોરોના સામે મમતા સરકારનું કડક વલણ, 3 જાન્યુઆરીથી બ્રિટનથી કોલકાતા આવતી ફ્લાઇટ પર લગાવી રોક

આ પણ વાંચો –

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">