LG ની CBI તપાસની ભલામણ પર કેજરીવાલ લાલ ચોળ, કહ્યું ‘જેલથી ડર નથી લાગતો, અમે ભગતસિંહના સંતાનો’

CM કેજરીવાલે કહ્યું કે LGએ કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે મનિષ સિસોદિયા એક પ્રામાણિક માણસ છે અને હવે કેન્દ્ર સરકાર તેમને ફસાવવાની યોજના બનાવી રહી છે.

LG ની CBI તપાસની ભલામણ પર કેજરીવાલ લાલ ચોળ, કહ્યું 'જેલથી ડર નથી લાગતો, અમે ભગતસિંહના સંતાનો'
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના મોદી સરકાર પર વારImage Credit source: FIle Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 2:38 PM

દિલ્હી (Delhi) ની અરવિંદ કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે એક્સાઈઝ પોલિસી (Excise Policy)ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઉપરાજ્યપાલ  (LG)  વીકે સક્સેનાએ કેજરીવાલ (Kejrival)સરકારની એક્સાઈઝ પોલિસી 2021-22 માં નિયમોના ભંગ અને ખામીઓને લઈને તેની CBI તપાસની ભલામણ કરી છે. જેને લઈને આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. CM કેજરીવાલે કહ્યું કે LGએ કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે અમે જેલમાં જવાથી નથી ડરતા. અમે ભગતસિંહના સંતાનો છીએ.

CM કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર જાણી જોઈને દિલ્હી સરકારના કામમાં અડચણ ઉભી કરી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે. તેમણે પહેલા EDનો દુરુપયોગ કરીને દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલ્યા અને હવે તેઓ રાજ્યના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “હું સિસોદિયાને વર્ષોથી ઓળખું છું. તે એક કટ્ટર પ્રામાણિક માણસ છે અને હવે કેન્દ્ર સરકાર તેમને ફસાવવાની યોજના બનાવી રહી છે.”

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ તરફ AAPના વરિષ્ઠ નેતા દિલીપ પાંડેએ ટ્વિટ કર્યું, “આખું ભારત જાણે છે કે મનીષ સિસોદિયાએ કેટલી પ્રમાણિકતાથી દિલ્હીના બાળકો માટે શાળાઓ બનાવી છે અને અનેક સારા કામો કર્યા છે. હકીકતમાં મોદીજી કેજરીવાલની વધતી લોકપ્રિયતાથી ડરી ગયા છે, આથી તમામ કામ છોડીને ED, CBI પાસે નકલી કેસ કરાવી રહ્યા છે, પરંતુ અમે આ બધાથી ડરતા નથી. અમે પહેલેથી જ કહ્યું છે કે આ લોકો અનેક નક્લી કેસ કરશે. આ લોકો મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા લોકોને દેશમાંથી ભગાડી દે છે અને સમગ્ર વિશ્વમાં ખાનગીમાંથી શ્રેષ્ઠ સરકારી શાળા બનાવવા માટે ભારતને ગૌરવ અપાવનાર મનીષ સિસોદિયા સામે ખોટો કેસ દાખલ કરે છે.”

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">