માનહાની કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

હૈદરાબાદની એક કોર્ટે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ વિરુદ્ધ માનહાનિના કેસમાં હાજર નહીં થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

માનહાની કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
Digvijay Singh (File Image)
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 22, 2021 | 10:20 PM

હૈદરાબાદની એક કોર્ટે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ વિરુદ્ધ માનહાનિના કેસમાં હાજર નહીં થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. દિગ્વિજયસિંહ પર 2017માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિગ્વિજયસિંહ કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ ગયા પછી સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધના કેસોની સુનાવણી માટેની ખાસ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

AIMIMના નેતા એસએ હુસેન અનવરે કર્યો હતો કેસ દિગ્વિજયસિંહ વિરુદ્ધ AIMIMના નેતા એસએ હુસેન અનવરે આ માનહાનિનો કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે દિગ્વિજયસિંહે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને એમ કહીને બદનામ કર્યા છે કે હૈદરાબાદના સાંસદની પાર્ટી આર્થિક લાભ માટે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડી રહી છે. એસએ હુસેન અનવરના વકીલ મોહમ્મદ આસિફ અમજદે જણાવ્યું હતું કે તેમણે દિગ્વિજયસિંહ અને એક ઉર્દૂ દૈનિકના સંપાદક બંનેને કાયદાકીય નોટિસ મોકલી છે, જેમાં આ અંગેનો લેખ પ્રકાશિત કરાયો હતો અને માફી માંગવા જણાવ્યું હતું, પરંતુ બંનેએ જવાબ આપ્યો ન હતો, ત્યારબાદ તેઓએ કોર્ટમાં આ કાર્યવાહી કરી હતી.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ કેસમાં વધુ સુનાવણી 8 માર્ચે આ કેસમાં છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે દિગ્વિજયસિંહ અને ઉર્દૂ દૈનિકના સંપાદક 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે કોર્ટમાં હાજર થાય. અમજદે કહ્યું કે દિગ્વિજયસિંહના સલાહકારે તબીબી આધારો પર કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તે અરજી ફગાવી દીધી છે અને બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 8 માર્ચે નક્કી કરી છે. દિગ્વિજયસિંહના વકીલે કાર્યવાહી રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે.

આ પણ વાંચો: Surat: રાત્રે સ્ટ્રોંગ રૂમમાંથી ચૂંટણી અધિકારીઓ EVMની પેટીઓ બદલવાનો BSPનો આક્ષેપ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">