લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો પણ આ ભાગ મોકલી રહ્યો છે ચંદ્રની ખાસ માહિતી
ચંદ્રયાન-2ની સાથે જોડાયેલાં વિક્રમ લેન્ડરની સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો છે. ઈસરોની સાથે આ સંપર્ક તૂટી જવાથી સંપૂર્ણ મિશનને નુકસાન થયું નથી પણ હજુ એક એવી આશા છે જેના લીધે ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા માટે ઈસરોને મોટી મદદ મળશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]
ચંદ્રયાન-2ની સાથે જોડાયેલાં વિક્રમ લેન્ડરની સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો છે. ઈસરોની સાથે આ સંપર્ક તૂટી જવાથી સંપૂર્ણ મિશનને નુકસાન થયું નથી પણ હજુ એક એવી આશા છે જેના લીધે ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા માટે ઈસરોને મોટી મદદ મળશે.
આ પણ વાંચો : VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ
તમને જણાવી દઈએ કે ઈસરોએ મોકલેલાં ચંદ્રયાન-2ના 3 ભાગ હતા. જેમાં ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સમાવેશ થાય છે. વિક્રમ અને પ્રજ્ઞાનની સાથે સંપર્ક તૂટી ગયો છે પણ ઓર્બિટર હજુ પણ ચંદ્રની કક્ષામાં 100 કિમી ઉપર ચક્કર લગાવી રહ્યું છે અને તે ઈસરો માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં મદદ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
2379 કિલોગ્રામનું ઓર્બિટર ઘણી બધી બાબતોને લઈને કામ કરી શકે તે રીતે ઈસરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઓર્બિટરમાં પેલોડ લગાવવામાં આવ્યા છે જે વિવિધ માહિતી મેળવવામાં સક્ષમ છે. ચંદ્રયાન-2ના ઓર્બિટર પર લાર્જ એરિયા સ્પેક્ટ્રોમીટર લગાવવામાં આવ્યા છે જેના લીધે ચંદ્ર પરની સપાટી પરથી જ મેગ્નેશિયમ, એલ્ચુમિનિયમ અને સિલિકોન વગેર વિશે જાણકારી મેળવી શકાશે. ટેરેન મેપિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ચંદ્રનો 3-ડી મેપ પણ તૈયાર કરી શકાશે.
ઈમેજિંગ આઈઆરએસ સ્પેક્ટ્રોમીટર દ્વારા ચંદ્રની સપાટી પર પાણી છે કે તેને લઈને પણ જાણકારી મેળવવામાં મદદ મળશે. પાણીની સાથે અન્ય ખનિજો વિશે પણ જાણકારી મેળવવામાં મદદ મળી શકશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]