બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન બનતા નીતિશ કુમાર, તેજસ્વી યાદવ બન્યા નાયબ મુખ્યપ્રધાન

મોદીનું નામ લીધા વિના નીતિશ કુમારે કહ્યું કે જેઓ 2014માં આવનારા, 2024માં રહેશે ત્યારે ને ? તેમણે એમ પણ કહ્યું, અમે રહીએ કે ના રહીએ પણ તેઓ 2024માં નહી રહે.

બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન બનતા નીતિશ કુમાર, તેજસ્વી યાદવ બન્યા નાયબ મુખ્યપ્રધાન
Nitish Kumar and Tejashwi YadavImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 2:48 PM

ભાજપ સાથેનો છેડો ફાડ્યા બાદ, બિહારમાં નીતિશ કુમારે (Nitish Kumar) લાલુ પ્રસાદ યાદવના પક્ષ સાથે જોડાણ કરીને બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે, નીતિશ કુમારને મહાગઠબંધન સરકારના વડા તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે રાબડીદેવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પણ નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને શપથ લેવડાવ્યા.

મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ નીતીશ કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા બે મહિનાથી સ્થિતિ સારી નથી. તેમણે કહ્યું કે અમે ભાજપને ટેકો આપ્યો હતો પરંતુ તેઓ અમને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારી આ સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. નીતિશ કુમારે કહ્યું કે બીજેપી વિચારતી હતી કે વિપક્ષ ખતમ થઈ જશે પરંતુ હવે અમે પણ વિપક્ષમાં છીએ.

મોદીનું નામ લીધા વિના નીતિશ કુમારે કહ્યું કે જેઓ 2014માં આવનારા, 2024માં રહેશે ત્યારે ને ? તેમણે એમ પણ કહ્યું, અમે રહીએ કે ના રહીએ પણ તેઓ 2024માં નહી રહે.

શપથ લીધા બાદ નીતીશ કુમારે કહ્યું કે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તેમની સીટો ઓછી થઈ ત્યારે તેમણે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી હતી, પરંતુ ભાજપે તેમને જીદ કરીને મુખ્યમંત્રી બનાવ્યા. નીતીશ કુમારે કહ્યું કે ચૂંટણીથી જ બધાની નજર છે કે ભાજપ તેમની સાથે શું વ્યવહાર કરે છે. છેલ્લા બે મહિનાથી પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ જ કારણ છે કે તેઓ જાહેરમાં બોલતા ન હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">