દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર કરવાનો કર્યો ઈનકાર!
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોના નામે ડેથ વોરંટ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે આ સંબંધમાં દાખલ અરજી નામંજૂર કરી દીધી છે. સાથે કહ્યું કે, જો કાનૂન ગુનેગારને જીવવાનો અધિકાર આપે છે તો, તેને ફાંસી ચડાવવું પણ પાપ છે. આ પણ વાંચોઃ અલકા લાંબાએ AAP કાર્યકરને થપ્પડ મારવાની કરી કોશિશ, પુત્ર પર આપત્તિજનક […]
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોના નામે ડેથ વોરંટ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે આ સંબંધમાં દાખલ અરજી નામંજૂર કરી દીધી છે. સાથે કહ્યું કે, જો કાનૂન ગુનેગારને જીવવાનો અધિકાર આપે છે તો, તેને ફાંસી ચડાવવું પણ પાપ છે.
આ પણ વાંચોઃ અલકા લાંબાએ AAP કાર્યકરને થપ્પડ મારવાની કરી કોશિશ, પુત્ર પર આપત્તિજનક ટિપ્પણીનો આરોપ
દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં દાખલ અરજીમાં ગુનેગારો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરવાની અપીલ કરાઈ હતી. જેથી નિર્ભયાના ગુનેગારોને જલ્દી ફાંસીની સજા મળી શકે. દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, કોઈ પણ ગુનેગારની એકપણ અરજી કોર્ટમાં પેન્ડિંગ નથી. જેથી કોર્ટ નવું ડેથ વોરંટ રજૂ કરવા માટે સ્વતંત્ર છે.
સરકારી વકીલની દલીલ પર કોર્ટે પૂછ્યું કે, એક ગુનેગારની દયા અરજી અને ક્યુરેટિવ લાગવાનું બાકી છે. ત્યારે એવું કેમ માનવામાં આવે કે, ગુનેગાર નવી અરજી લગાવશે નહીં? જો કે, તમામ ગુનેગારોની દયા અરજી અને ક્યુરેટિવ પિટીશન બાદ કોર્ટ ડેથ વોરંટ કાઢશે કે નહીં. તે એક સવાલ જરૂર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો