NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓને જેલની સજા ફટકારી, ભારત વિરુદ્ધ યુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ એનઆઈએ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓને સજા ફટકારી છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ એનઆઈએ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓને સજા ફટકારી છે. કોર્ટે આતંકવાદીઓ મોહમ્મદ શફી શાહ અને મુઝફ્ફર અહેમદ ડારને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે, જ્યારે કોર્ટે આતંકવાદીઓ તાલિબ લાલી અને મુશ્તાક અહેમદ લોનને 10 વર્ષની જેલની સજા ફટકારી છે.
કોર્ટે કહ્યું કે, આ તમામ આતંકવાદીઓ ભારતમાં હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતા હતા. કોર્ટે આતંકવાદીઓને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા અને ભારત સરકાર સામે યુદ્ધ કરવા માટે ષડયંત્ર રચવા બદલ સજા ફટકારી હતી.
જમ્મુ -કાશ્મીર: શોપિયામાં આતંકવાદીઓએ વધુ એક વ્યક્તિની કરી હત્યા
જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ખરાબ હવામાન હોવા છતાં, શનિવારે 13 મા દિવસે પણ આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ રહી હતી. ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા બે અલગ અલગ હુમલામાં સેનાના નવ જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધુ બે શંકાસ્પદોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂંછ, મેઘર અને સુરાનકોટના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે ચાલુ રાખ્યા હતા.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે..