બ્રેકિંગ ન્યૂઝ : હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ લાગુ નહીં થાય, સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે અમે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. સરકારનું કહેવું છે કે, હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં, અમે આ કાયદો લાગુ કરતા પહેલા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીશું અને ત્યારબાદ જ અમે કોઈ નિર્ણય લઈશું.
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે અમે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. સરકારનું કહેવું છે કે, હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં, અમે આ કાયદો લાગુ કરતા પહેલા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીશું અને ત્યારબાદ જ અમે કોઈ નિર્ણય લઈશું.
આ પણ વાંચો હિટ એન્ડ રનના કાયદાનો કેમ થઈ રહ્યો છે દેશભરમાં વિરોધ? એવું તો શું છે કે જેનાથી ડ્રાઈવરો ડરી ગયા

