અયોધ્યા પહોંચી નેપાળની શાલિગ્રામ શિલા, જાણો તેની પાછળનું ધાર્મિક મહત્વ

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 8:46 PM

Shaligram Stone: નેપાળથી ભારતના અયોધ્યામાં પહોંચેલી શાલિગ્રામ શિલા હાલમાં ભારે ચર્ચામાં છે. ચાલો જાણીએ સિયા-રામની પ્રતિમા જે પથ્થરમાંથી બનવાની છે તે શાલિગ્રામ શિલાનું ધાર્મિક મહત્વ.

અયોધ્યા પહોંચી નેપાળની શાલિગ્રામ શિલા, જાણો તેની પાછળનું ધાર્મિક મહત્વ
Shaligram Stone
Image Credit source: twitter

અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય રામ મંદિર હાલમાં પૂરજોશમાં બની રહ્યું છે. આ મંદિરમાં સિયા-રામની મૂર્તિઓ પણ મૂકવામાં આવશે. આ મૂર્તિઓ 2 ખાસ પથ્થરોમાંથી બનશે, જેને શાલિગ્રામ શિલાઓ કહે છે. આ શાલિગ્રામ શિલાઓને નેપાળની પવિત્ર કાળા ગંડકી નદીમાંથી નીકાળવામાં આવ્યા છે. ખાસ સિયા-રામની મૂર્તિઓ બનાવવા માટે આ શિલાઓને નેપાળથી ભારત મંગાવવામાં આવી છે.

નેપાળથી નીકળેલી આ શિલાઓ બિહારના રસ્તે થઈને યૂપીના કુશીનગર અને ગોરખપુર થઈને બુધવારે મોડી સાંજે અયોધ્યા પહોંચી હતી. અયોધ્યાના લોકોએ આ બંને વિશાળ શિલાઓનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઘટનાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આજે સવારે આ શિલાઓની પૂજા પણ કરવામાં આવી હતી.

6 હજાર વર્ષ જૂની છે આ શાલિગ્રામ શિલાઓ

તમને જાણીને નવાઈ લાગશે કે આ શિલાઓ લગભગ 6 કરોડ વર્ષ જૂની છે. આ બંને શિલાઓ 40 ટનની છે. એક શિલાનું વજન 26 ટન અને બીજી શિલાનું વજન 14 ટન છે. નેપાળથી 7 દિવસની યાત્રા કરીને આ શિલાઓ અયોધ્યા પહોંચી છે. આ શિલાઓ નેપાળથી અયોધ્યા સુધી 373 કિમીનું અંતર કાપીને પહોંચી છે. આ શિલાઓમાંથી રાજા રામ અને માતા સીતાની મૂર્તિઓ બનશે, જેને રામ મંદિરમાં મૂકવામાં આવશે.

નેપાળની પવિત્ર કાળી ગંડકી નદીમાંથી નીકાળવામાં આવેલી આ શિલાઓનો અભિષેક અને વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કર્યા બાદ 26 જાન્યુઆરીએ રસ્તાથી અયોધ્યા રવાના કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શાલિગ્રામની આ શિલાઓ રામસેવકપુરમ સ્થિત કાર્યશાળામાં રાખવામાં આવશે.

શાલિગ્રામ શિલાનું ધાર્મિક મહત્વ ?

શાલિગ્રામ એ એક પ્રકારનો અશ્મિ પથ્થર છે. ધાર્મિક આધાર પર શાલિગ્રામનો ઉપયોગ ભગવાનને આહ્વાન કરવા માટે થાય છે. શાલિગ્રામ ખડક નેપાળમાં પવિત્ર ગંડકી નદીના કિનારે જોવા મળે છે. તે વૈષ્ણવો દ્વારા પૂજવામાં આવતો સૌથી પવિત્ર ખડક છે. તેનો ઉપયોગ અમૂર્ત સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે થાય છે. એવું કહેવાય છે કે શાલિગ્રામના 33 પ્રકાર છે. આ બધા શ્રી હરિ વિષ્ણુના 24 અવતાર સાથે જોડાયેલા છે.

વૈષ્ણવોના મત મુજબ શાલિગ્રામ ભગવાન વિષ્ણુનો વાસ છે અને જે તેને રાખે છે તેણે દરરોજ તેની પૂજા કરવી જોઈએ. દેવુથની એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસીના વિવાહની પરંપરા છે. એક દંતકથા અનુસાર તુલસીએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો હતો, તેથી ભગવાન વિષ્ણુને શાલિગ્રામ બનવું પડ્યું અને આ સ્વરૂપમાં તેણે માતા તુલસી સાથે લગ્ન કર્યા જે લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપ તુલસી સાથે લગ્ન કરવાથી તમામ અભાવ, વિખવાદ, પાપ, દુ:ખ અને રોગ દૂર થાય છે.

માતા લક્ષ્મીના મળે છે આશીર્વાદ

શાલિગ્રામ સ્વયં-પ્રગટ હોવાને કારણે તેને જીવનના અભિષેકની પણ જરૂર નથી અને ભક્તો તેની સીધી ઘર અથવા મંદિરમાં પૂજા કરી શકે છે. શાલિગ્રામ શિલાને અલૌકિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘર કે મંદિરમાં શાલિગ્રામનો વાસ હોય છે, તે સ્થાનના ભક્તો પર દેવી લક્ષ્મી કૃપા કરે છે, સાથે જ તેઓ સંપૂર્ણ દાનના પુણ્ય અને પૃથ્વીની પરિક્રમાનું શ્રેષ્ઠ ફળ મેળવવાના હકદાર બને છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati