પાકિસ્તાનથી વિમાન ભારતની સીમામાં આવ્યું અને પછી ભારતીય વાયુ સેનાએ આ પગલું ભર્યું!
ભારત અને પાકિસ્તાન વચ્ચે એર-સ્ટ્રાઈક પછી માહોલ બદલાયો છે. બંને દેશ હવે સરહદ પર સુરક્ષાને લઈને વિશેષ કાળજી લઈ રહ્યાં છે. પાકિસ્તાનનું એક વિમાન ભારતની સીમામાં રાજસ્થાનથી ઘુસી આવ્યું હતું. 10મેના રોજ ભારતીય વાયુસેનાના રડારમાં એક આકાશી ગતિવિધી નજરે પડી. વાયુસેના પાકિસ્તાન તરફથી આવતા વિમાનને લઈને સર્તક થઈ ગયી. પાકિસ્તાન તરફથી આવતું વિમાન રોકાયું ન […]
ભારત અને પાકિસ્તાન વચ્ચે એર-સ્ટ્રાઈક પછી માહોલ બદલાયો છે. બંને દેશ હવે સરહદ પર સુરક્ષાને લઈને વિશેષ કાળજી લઈ રહ્યાં છે. પાકિસ્તાનનું એક વિમાન ભારતની સીમામાં રાજસ્થાનથી ઘુસી આવ્યું હતું.
10મેના રોજ ભારતીય વાયુસેનાના રડારમાં એક આકાશી ગતિવિધી નજરે પડી. વાયુસેના પાકિસ્તાન તરફથી આવતા વિમાનને લઈને સર્તક થઈ ગયી. પાકિસ્તાન તરફથી આવતું વિમાન રોકાયું ન હતું. તે ભારતની સીમામાં ચડી આવ્યું હતું. ભારતીય વાયુસેનાને જાણ થતા ભારતના એરફોર્સના વિમાનોએ આ પાકિસ્તાન તરફથી આવેલાં વિમાનને ઘેરી લીધું હતું. ભારતીય વાયુસેનાના વિમાનોએ પ્લેનને આકાશમાં જ ઘેરીને તેને જયપુરમાં લેન્ડિંગ કરાવ્યું હતું.
પ્લેનની ઓળખાણ કરવામાં આવી છે અને તેના પરથી જાણવા મળ્યું કે તે કાર્ગો વિમાન છે. જે વિમાને ભારતની હદમાં આવી ગયું હતું. જેના લીધે ભારતીય વાયુસેનાએ પોતાની કમાન સંભાળી હતી. આ વિમાનને જયપુર ખાતે ઉતરવા મજબૂર કર્યું હતું.
આ પણ વાંચો: તો ખરેખર રાહુલ ગાંધીને અમેઠીના લોકોએ માર માર્યો? જાણો સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ ખબર વિશેની સાચી હકીકત
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]