Naxal Attack: ઓડિશાના નૌપાડામાં નક્સલીઓએ CRPFની ટીમ પર કર્યો હુમલો, 3 જવાન શહીદ
ગઈકાલે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત ત્રણ ખતરનાક નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરકારો દ્વારા આ ત્રણ પર સંયુક્ત રીતે 57 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર નૌપાડા જિલ્લામાં માઓવાદીઓએ (Maoist Attack) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમ પર હુમલો કર્યો છે, જેમાં ત્રણ જવાન શહીદ થયા છે. તે જ સમયે, ઘણા જવાન ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીઆરપીએફના જવાન ઓડિશા બોર્ડર પર નૌપાડામાં રસ્તા પર કામ કરી રહેલા મજૂરોને સુરક્ષા આપવા ગયા હતા. ત્યારબાદ નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો. આ હુમલો બપોરે લગભગ 2.30 વાગ્યે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. નક્સલવાદીઓના આ હુમલામાં ASI શિશુ પાલ સિંહ, ASI શિવ લાલ અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર સિંહ શહીદ થયા છે.
Odisha | Three Central Reserve Police Force (CRPF) personnel were killed in a Maoist attack in Odisha’s Nuapada district, today. They were part of a road opening party when they came under attack around: CRPF
— ANI (@ANI) June 21, 2022
મધ્યપ્રદેશમાં ગઈકાલે ત્રણ ખતરનાક નક્સલવાદીઓ માર્યા ગયા હતા
જણાવી દઈએ કે ગઈકાલે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત ત્રણ ખતરનાક નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરકારો દ્વારા આ ત્રણ પર સંયુક્ત રીતે 57 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે નક્સલવાદીઓને મારનાર પોલીસકર્મીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન અને વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે.