Navjot Singh Sidhu જેલમાં પહેલી રાત્રે ભોજન ન લીધું, જાણો કેવી રહેશે સિદ્ધુની દિનચર્યા
34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સજા સંભળાવ્યા બાદ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ છેલ્લી રાત પટિયાલા જેલમાં વિતાવી. તેને હવે કેદી નંબર 241383નું નવું નામ મળ્યું છે.
Navjot Singh Sidhu : પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ગઈકાલે રાત જેલમાં પસાર કરી હતી. તેને જેલમાં નવા નામનો કેદી નંબર 241383 મળ્યો છે. કહેવાય છે કે હવે તેમને બેરેક ફાળવવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે સિદ્ધુએ રાત્રે જેલમાં રોટલી અને દાળ ખાધી ન હતી. તેણે ઘઉંની એલર્જી હોવાનું જણાવ્યું હતુ. જેલના સૂત્રોએ જણાવ્યું કે સિદ્ધુ માત્ર ફળ અને સલાડ જ ખાધા હતા. સવારે વહેલા ઉઠ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) કુર્તા પાયજામા પહેરીને બેરેકમાં બેઠા હતા.
બેરેક નંબર 10માં શિફ્ટ કરવામાં આવશે
સિદ્ધુ જેલમાં મજીઠિયાની બેરેકથી લગભગ 500 મીટરના અંતરે જેલમાં રહેશે. મળતી માહિતી મુજબ મજીઠિયાને બેરેક નંબર 11માં રાખવામાં આવ્યા છે. સિદ્ધુ અને મજીઠિયાની બેરેકની બહાર વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુ પણ રાત્રે થોડા બેચેન દેખાતા હતા. આજે તેને બેરેક નંબર 10માં શિફ્ટ કરવામાં આવશે. અહીંથી બિક્રમ મજીઠૈયાની બેરેક 800 મીટર દૂર છે. જેલ પ્રશાસને શુક્રવારે સવારે જ કમ્પાઉન્ડ પાસે સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા હતા. સિદ્ધુએ કેદીનો પોશાક પહેરવો પડશે, જ્યારે મજીઠિયા હવાલાતી હોવાથી સામાન્ય કપડાં પહેરી શકશે.
સિદ્ધુ અઠવાડિયામાં માત્ર 2 દિવસ પોતાના સમર્થકો અને પરિવારને મળી શકશે
નવજોત સિંહ સિદ્ધુ અઠવાડિયામાં માત્ર 2 દિવસ તેમના પરિવાર અને સમર્થકોને મળી શકશે. જેલના નિયમો મુજબ કેદીઓ મંગળવાર અને શુક્રવારે તેમના સંબંધીઓને મળી શકે છે. અન્ડર ટ્રાયલ કેદીઓને અઠવાડિયાના બાકીના દિવસો માટે સોમવારથી શનિવાર સુધી મળવાનો સમય આપવામાં આવ્યો છે. જેલમાં બંધ બિક્રમ સિંહ મજીઠિયા અંડર ટ્રાયલ કેદી હોવાના કારણે બાકીના દિવસ માટે મળી શકે છે.
આ રીતે હશે સિદ્ધુની દિનચર્યા
- સેન્ટ્રલ જેલમાં કેદીઓનો દિવસ 5.30 વાગ્યાથી શરૂ થાય છે.
- સવારે સાત વાગ્યે ચા સાથે બિસ્કીટ અથવા કાળા ચણા આપવામાં આવે છે.
- સાડા આઠ વાગે છ રોટલી, કઠોળ કે શાક આપવામાં આવે છે.
- આ પછી, કેદીઓએ જેલ સત્તાવાળાઓ દ્વારા સોંપાયેલ કામ કરવાનું હોય છે.
- સાંજે 5.30 વાગ્યે કામમાંથી બ્રેક હોય છે.
- સાંજે છ વાગ્યે જમવામાં છ રોટલી, કઠોળ કે શાક આપવામાં આવે છે.
- કેદીઓને સાંજે સાત વાગ્યે બેરેકમાં મોકલવામાં આવે છે.
- કેદીઓ રોજનું કામ શરૂ કરતા પહેલા અને બેરેકમાં જતા પહેલા જેલ પરિસરમાં બનેલા ધાર્મિક સ્થળોમાં પ્રાર્થના કરી શકે છે.
શું છે સમગ્ર મામલો?
27 ડિસેમ્બર 1988ના રોજ નવજોત સિંહ સિદ્ધુની એક વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. પટિયાલામાં પાર્કિંગને લઈને સિદ્ધુની 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. પહેલા તો બંને વચ્ચેની વાતોએ દલીલનું સ્વરૂપ લીધું હતું. જોકે, બાદમાં આ ચર્ચા મારામારી સુધી પહોંચી હતી. આ પછી સિદ્ધુએ વૃદ્ધાને મુક્કો માર્યો હતો. સિદ્ધુના આ હુમલાને કારણે વૃદ્ધનું પાછળથી મોત થયું હતું. આ મામલામાં સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સિદ્ધુ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.