નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 21મી સદીનાં ભારતની આંકાક્ષા થશે પૂર્ણ અને પોતાની આગવી ઓળખ બનાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આધુનિત સુવિધાઓતી સજ્જ આ બિલ્ડીંગને જોઈને આવનારી પેઢીને ગર્વ થશે. આ સંસદભવન પોતાની ઓળખ અલગ બનાવશે કે જે 21મી સદીનાં ઊારતની આંકાક્ષાઓને પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું કે ભારતનું લોકતંત્ર સૌથી મોટું છે અને તેના પર આંચ નહી આવે અંદાજિત 971 કરોડ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આધુનિત સુવિધાઓતી સજ્જ આ બિલ્ડીંગને જોઈને આવનારી પેઢીને ગર્વ થશે. આ સંસદભવન પોતાની ઓળખ અલગ બનાવશે કે જે 21મી સદીનાં ઊારતની આંકાક્ષાઓને પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું કે ભારતનું લોકતંત્ર સૌથી મોટું છે અને તેના પર આંચ નહી આવે
અંદાજિત 971 કરોડ રૂપિયાના ખર્ચે 2022 સુધીમાં નવા સંસદ ભવનની બિલ્ડિંગ બનીને તૈયાર થઇ જશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા સંસદની નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. નવા સંસદ ભવનની બિલ્ડિંગ 64 હજાર 500 સ્કવૅર મીટરમાં ફેલાયેલી હશે. જેની ખાસિયતો પર વાત કરીએ તો તે ભૂકંપ વિરોધી હશે.
આ બિલ્ડિંગ સંપૂર્ણ સ્વદેશી હશે. ઇમારતમાં 1300થી વધુ સભ્યો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત નવી બિલ્ડિંગમાં તમામ સાંસદોની ઓફિસ ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ હશે.
દેશની નવી સંસદના નિર્માણકાર્ય દરમિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા પર ખાસ ભાર મૂકાયો છે. આ નવા સંસદ ભવનમાં લાઇબ્રેરી અને હાઈટેક લાઉન્ઝ હશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા, જુઓ આ વીડિયો