આગરામાં નહીં, મુમતાઝનું અહીં થયું હતુ મૃત્યુ, આ કારણે શાહજહાં અહીં તાજમહેલ બનાવી શક્યો નહીં
Mumtaz Death Anniversary : જ્યારે પણ તાજમહેલ (TajMahal)ની વાત થાય છે ત્યારે શાહજહાંની બેગમ મુમતાઝના મૃત્યુની કહાની પણ ખૂબ ચર્ચામાં આવે છે. તો જાણો મુમતાઝનું મૃત્યુ કેવી રીતે અને ક્યાં થયું.
Mumtaz Death Anniversary : તાજમહેલ (TajMahal) તેની સુંદરતા માટે જાણીતો છે. પરંતુ, જ્યારે પણ તાજમહેલની સુંદરતાની ચર્ચા થાય છે, ત્યારે તેની સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ પણ કહેવામાં આવે છે, જેને નકારાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. તાજમહેલના નિર્માણ પાછળ, મજૂરોના હાથ કપાઈ જવાની વાર્તા અને બાળજન્મ દરમિયાન શાહજહાંની (Shahjahan) બેગમ મુમતાઝના મૃત્યુની વાર્તા આમાં સામેલ છે. તમે મજૂરોના હાથ કાપવાની કહાની તો ઘણી સાંભળી હશે, પરંતુ શું તમે મુમતાઝના મોત (Mumtaz Death ) ની કહાની જાણો છો? આજે મુમતાઝની પુણ્યતિથિ છે અને આ પ્રસંગે આપણે મુમતાઝ વિશે જાણીએ કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું.
આ સાથે, આપણે જાણીએ છીએ કે, શા માટે શાહજહાં પર મુમતાઝના મૃત્યુનો આરોપ છે. આ સિવાય જાણો જ્યારે મુમતાઝનું બુરહાનપુરમાં મૃત્યુ થયું ત્યારે શાહજહાંએ આગ્રામાં તાજમહેલ કેમ બનાવ્યો હતો.
મુમતાઝનું મૃત્યુ કેવી રીતે થયું?
હવે આપણે જાણીએ છીએ કે, મુમતાઝનું મૃત્યુ કેવી રીતે થયું.13 બાળકો હોવા છતાં પણ જ્યારે મુમતાઝનું અવસાન થયું ત્યારે પણ મુમતાઝ ગર્ભવતી હતી અને તે સમયે તેનું 14મું બાળક તેના પેટમાં હતું. શાહજહાંને ગર્ભવતી થવા માટે મુમતાઝ ને લઈ વાંરમવાર ચર્ચા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 1631ના જૂન મહિનામાં શાહજહાં પોતાની સેના સાથે બુરહાનપુરમાં હતા અને તેમની પત્ની મુમતાઝ અહીં તેમની સાથે હતી.
14માં બાળકને જન્મ આપતી વખતે, લગભગ 30 કલાકની લાંબી પ્રસૂતિ પીડા પછી ડિલિવરી દરમિયાન મુમતાઝનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે શાહજહાંના 14 બાળકોમાંથી 6 બાળકો પણ બચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, ઘણા લોકો શાહજહાં પર આરોપ પણ લગાવે છે, પરંતુ ઘણા લોકો માને છે કે તે સમયે સંજોગો કંઈક અલગ હતા.
બુરહાનપુરમાં તાજમહેલ કેમ ન બન્યો?
મુમતાઝનું મૃત્યુ બુરહાનપુરમાં થયું, પરંતુ અહીં કોઈએ તાજમહેલ નથી બનાવ્યો. જણાવી દઈએ કે શરૂઆતમાં બુરહાનપુરને સમાધિ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું અને શાહજહાંએ પણ તાજના નિર્માણ માટે તાપ્તી નદીના કિનારે એક જગ્યા પસંદ કરી હતી. પરંતુ, બુરહાનપુર સ્મારકના નિર્માણ માટે પૂરતો સફેદ માર્બલ સપ્લાય કરી શક્યો નહિ. આ જ કારણ છે કે મુમતાઝ મહેલના અવશેષોને આગ્રા લઈ જવામાં આવ્યા હતા જ્યાં તાજનું કામ શરૂ થયું હતું. આ સિવાય એવું કહેવાય છે કે જ્યારે મુમતાઝ આગ્રામાં હતી ત્યારે તે ઘણીવાર યમુના કિનારે આવેલા બગીચામાં જતી હતી. કદાચ તેથી જ આગ્રામાં યમુના કિનારાની પસંદગી કરવામાં આવી હતી.
કાળા તાજમહેલની વાર્તા શું છે?
એવું પણ કહેવાય છે કે શાહજહાં પણ યમુના નદીના કિનારે કાળા આરસપહાણથી કાળો તાજમહેલ બનાવવા માગતો હતો. પરંતુ શાહજહાંને ઔરંગઝેબ દ્વારા કેદ કરવામાં આવ્યો, જેના પછી શાહજહાંનું આ સપનું પૂરું થઈ શક્યું નહીં. પરંતુ, આ સિવાય એવી માહિતી પણ શેર કરવામાં આવી છે કે નદીની પેલે પાર મહતાબ બાગમાં કાળા આરસના પથ્થરોના અવશેષો મળી આવ્યા હતા, પરંતુ 1990ના દાયકામાં થયેલા ખોદકામમાં જાણવા મળ્યું હતું કે આરસના પથ્થરો સફેદ હતા, જે સમય જતાં કાળા થઈ ગયા હતા.