જમ્મુ કાશ્મીરમાં 5000થી વધારે કાશ્મીરી પંડિતોને મળી સરકારી નોકરી, લોકસભામાં ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આપી જાણકારી

રાયે કહ્યું, 'જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી વિકાસ પેકેજ અંતર્ગત કામ કરનારા કોઈ પણ કાશ્મીરી પંડિતે તાજેત્તરમાં થયેલી કાશ્મીરી પંડિતની હત્યાના વિરોધમાં પોતાનું રાજીનામું આપ્યુ નથી.

જમ્મુ કાશ્મીરમાં 5000થી વધારે કાશ્મીરી પંડિતોને મળી સરકારી નોકરી, લોકસભામાં ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આપી જાણકારી
Nityanand RaiImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 4:16 PM

પ્રધાનમંત્રી વિકાસ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) 5000થી વધુ કાશ્મીરી પંડિતોને (Kashmiri Pandits) સરકારી નોકરીઓ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai) લોકસભામાં આ માહિતી આપી છે. તેમણે ગૃહને જણાવ્યું કે સરકારે ઘાટીમાં જમ્મુ અને કાશ્મીર સરકારના વિવિધ વિભાગોમાં રોકાયેલા કાશ્મીરી માઈગ્રેટ કામદારો માટે ઓછામાં ઓછા 6000 ટ્રાન્ઝિટ આવાસના નિર્માણને મંજૂરી આપી છે. નિત્યાનંદ રાયે કહ્યું ‘કાશ્મીરમાં 5502 કાશ્મીરી પંડિતોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, “સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા જરૂરી પગલાં લીધા છે. જેમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને ઈન્ટેલિજન્સ પેટર્ન બનાવવી, આતંકવાદીઓ વિરુદ્ધ સક્રિય ઓપરેશન, કાશ્મીરી પંડિતો જ્યાં રહે છે તે વિસ્તારોમાં પેટ્રોલિંગ વગેરે સામેલ છે.’ રાયે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી વિકાસ પેકેજ અંતર્ગત કામ કરનારા કોઈ પણ કાશ્મીરી પંડિતે તાજેત્તરમાં થયેલી કાશ્મીરી પંડિતની હત્યાના વિરોધમાં પોતાનું રાજીનામું આપ્યુ નથી.

કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાનો વિરોધ

નોંધપાત્ર રીતે કાશ્મીરી પંડિત કર્મચારીઓ કાશ્મીરની બહાર ટ્રાન્સફરની માંગ સાથે રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં સતત વિરોધ કરી રહ્યા છે. રાહુલ ભટ્ટની 12 મેના રોજ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ભટ્ટની હત્યા બાદ સમગ્ર ખીણમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. આને લઈને કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. હકીકતમાં ભટ્ટને વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ રોજગાર પેકેજ હેઠળ કારકુનની નોકરી મળી હતી. બડગામ જિલ્લાના ચદૂરા ગામમાં તહસીલ ઓફિસમાં ઘૂસ્યા બાદ આતંકવાદીઓએ તેમની હત્યા કરી હતી. ત્યારથી વડાપ્રધાનના પેકેજ હેઠળ રોજગાર મેળવનાર કાશ્મીરી પંડિતો ન્યાયની માંગ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં થયો ઘટાડો

દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 2014માં 70થી ઘટીને 2021માં 46 થઈ ગઈ છે. નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. એક લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE) અથવા નક્સલ હિંસાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે નક્સલી હિંસાની ઘટનાઓ 2014માં 1,091થી ઘટીને 2021માં 509 થઈ ગઈ છે. નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે 2014થી ભારત સરકાર દ્વારા LWE પ્રભાવિત રાજ્યોને ગૃહ મંત્રાલયની વિવિધ યોજનાઓ હેઠળ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ સિવાય અન્ય મંત્રાલયો દ્વારા પણ ચોક્કસ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">