હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના,ભુસ્ખલનને કારણે 35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા
કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આ ભૂસ્ખલન થયું છે. જેને પગલે બસ અને અન્ય વાહનો કાટમાળ નીચે દટાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.
Himachal Pradesh: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં (Kinnaur) થયેલી ભુસ્ખલનની દુર્ઘટનામાં 35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે.નિગાસોરી અને ચૌરા વચ્ચે થયેલા ભુસ્ખલનને કારણે બસ અને કાર સહિત અનેક વાહનો દબાયા હોવાનું જાણવા મળ્યું છે.
કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આ ભૂસ્ખલન થયું છે. જેને પગલે બસ અને અન્ય વાહનો કાટમાળ નીચે દટાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.આપને જણાવવું રહ્યું કે, બસ કિન્નરોથી હરિદ્વાર જઈ રહી હતી.નેશનલ હાઇવે 5 હાલ ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. હાલ,બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને બસ ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 40 લોકો ફસાયેલા લોકો માટે બચાવ કામગિરી શરૂ કરવામાં આવી છે.
ઉપરાંત આ સમગ્ર મામલે કિન્નૌરના ડેપ્યુટી કમિશનરે (Deputy Commissioner) જણાવ્યું હતુ કે, સેના, નેશનલ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ (NDRF)અને સ્થાનિક બચાવ ટીમો દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે
A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported came under the rubble. Many people reported trapped. ITBP teams rushed for rescue. More details awaited. pic.twitter.com/ThLYsL2cZK
— ITBP (@ITBP_official) August 11, 2021
SP અજુ રામ રાણાએ જણાવ્યું હતું કે, “નેશનલ હાઈવે પર ભૂસ્ખલન (Landslide) દુર્ઘટનાની માહિતી મળતા જ અમે સ્થળ પર પહોચ્યા. ઉપરાંત જણાવ્યું કે,હાલ ITBP,પોલીસ, હોમગાર્ડ અને બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.”
પોલીસના જણાવ્યા અનુસાર સાંગલા-ચિતકુલ પર બસ્તરી નજીક સતત વરસાદને કારણે અનેક ભૂસ્ખલન થયા હતા, જેના કારણે પુલ તૂટતા દુર્ઘટના થઈ હોવાની આશંકા છે.
આ પણ વાંચો: Meghalaya : 96 વર્ષ પહેલા ATM ના શોધકનો જન્મ થયો હતો આ હોસ્પિટલમાં, આટલા વર્ષો બાદ અહી મુકવામાં આવ્યું ATM !