દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન, કર્ણાટક અને કેરળમાં વરસાદને કારણે હવામાન બદલાયું
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે, ચોમાસાના કારણે, દેશમાં સારા વરસાદની સંભાવના છે. 'લા નીના' સ્થિતિ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ધારણા છે અને ભારતમાં ચોમાસાના વરસાદ માટે સારા સંકેત છે.
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ (Monsoon)દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં વરસાદે (Rain)તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક અને કેરળના ઘણા ભાગોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. આ સાથે આસામ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મણિપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આગામી દિવસોમાં ઉત્તર-પૂર્વ ભારતના ભાગો, તમિલનાડુ અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ગોવા, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે, ચોમાસાના કારણે, દેશમાં સારા વરસાદની સંભાવના છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે આ ચોમાસાની સિઝનમાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103 ટકા રહેવાની શક્યતા છે. IMD એ એપ્રિલમાં કહ્યું હતું કે દેશમાં સામાન્ય વરસાદ પડશે જે લાંબા ગાળાની સરેરાશના 99 ટકા હશે, જે 1971-2020ના 50 વર્ષના સમયગાળામાં સરેરાશ વરસાદ છે. સમગ્ર દેશ માટે લાંબા ગાળાની સરેરાશ 87 સે.મી. છે.
મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાથી પ્રભાવિત પ્રદેશો – ગુજરાતથી ઓડિશા સુધીના રાજ્યો કે જેઓ કૃષિ માટે વરસાદ પર આધારિત છે – લાંબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ સામાન્ય વરસાદની અપેક્ષા છે. તેમણે કહ્યું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે. અગાઉ ભારતમાં 2005-08 અને 2010-13માં સામાન્ય ચોમાસું જોવા મળ્યું હતું.
ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે
મહાપાત્રાએ કહ્યું કે ભારતમાં નજીકના ભવિષ્યમાં સામાન્ય ચોમાસું જોવા મળી શકે છે. કારણ કે સામાન્ય કરતાં ઓછા વરસાદનો દાયકો પૂરો થવા જઈ રહ્યો છે. અમે હવે સામાન્ય ચોમાસાના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆતની ઘોષણા કરવામાં IMDની “ઉતાવળ” અંગે IMDની ટીકા વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવામાન કચેરીએ ચોમાસાની શરૂઆત અને પ્રગતિની જાહેરાત કરવા માટે વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળના 70 ટકા હવામાન મથકોએ એકદમ વ્યાપક વરસાદની જાણ કરી હતી અને તે પ્રદેશમાં મજબૂત પશ્ચિમી પવનો અને વાદળોની રચના સંબંધિત અન્ય માપદંડોને પૂર્ણ કરે છે.
લા નીના અસર ઓગસ્ટ સુધી રહેવાની ધારણા છે
મહાપાત્રાએ જણાવ્યું હતું કે વર્તમાન ‘લા નીના’ સ્થિતિ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ધારણા છે અને ભારતમાં ચોમાસાના વરસાદ માટે સારો સંકેત છે. ‘લા નીના’ પરિસ્થિતિઓ વિષુવવૃત્તીય પેસિફિકની ઠંડકનો સંદર્ભ આપે છે. જો કે, નકારાત્મક હિંદ મહાસાગર દ્વિધ્રુવના વિકાસની સંભાવના છે. જે કેરળ સહિત દૂરના દક્ષિણપશ્ચિમ દ્વીપકલ્પમાં સામાન્યથી ઓછો વરસાદનું કારણ બની શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાય દેશના મોટાભાગના ભાગોમાં જૂનમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.