Me Too: પ્રિયા રામાની સામે MJ Akbarનાં માનહાનિના કેસમાં 17મી ફેબ્રુઆરીએ ચુકાદો
Me Too: લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી, દિલ્હી કોર્ટ એમ.જે.અકબરની પ્રિયા રામાણી વિરુદ્ધ માનહાનિ કેસમાં બુધવારે, 17 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવશે. ઓક્ટોબર, 2018 માં રામાણીએ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
Me Too: લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી, દિલ્હી કોર્ટ એમ.જે.અકબરની પ્રિયા રામાની વિરુદ્ધ માનહાનિ કેસમાં બુધવારે, 17 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવશે. ઓક્ટોબર, 2018 માં રામાનીએ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
ઓક્ટોબર 2018 થી ફેબ્રુઆરી 2021 સુધી સુનાવણીની સમયરેખા
2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રામાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો.
2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રામાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. આ અંગે અકબરે રામાની સામે માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં દિલ્હીની કોર્ટ બુધવારે 17 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો આપી શકે છે.
શું હતો મામલો સોશિયલ મીડિયામાં વર્ષ 2018માં Me too કેમ્પેને જોર પકડ્યું હતું. જેમાં પત્રકાર પ્રિયા રામાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર આ કેમ્પેનમાં જ જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. જેની સામે એમ.જે. અકબરે પ્રિયા રામાની પર માનહાનીનો દાવો કર્યો હતો. આ કેસની પહેલી સુનાવણી 10 એપ્રિલ 2019માં થઇ હતી. આ કેસની આજે સુનાવણી થવાની હતી જે હવે 17 તારીખ પર ટળી ગઈ છે.
દલીલો પૂર્ણ અકબર અને રામાનીના વકીલો તરફથી દલીલો પૂરી થયા બાદ 1 મે ફેબ્રુઆરીના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે આ ચુકાદો સુરક્ષિત કરી દીધો હતો. અકબરે કોર્ટમાં મહિલા પત્રકાર પર આરોપ લગાવ્યો હતો કે રામાનીએ તેની પ્રતિષ્ઠાને ડામવા માટે 20 વર્ષ પછી તેણે ખોટા આક્ષેપો કર્યા છે. જો તેની સાથે જાતિય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તો તે આટલા વર્ષો સુધી શા માટે મૌન રહ્યા? આ સિવાય તે ક્યારે અને ક્યાં જાતીય શોષણ થયું તે અંગે કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા. તેમજ આ ઘટના અંગે કોઈ સાક્ષી નથી. આવા કિસ્સામાં તેમને માનહાનિના આરોપમાં સજા થવી જોઈએ.