લોકોમાં વહેંચ્યા ઘણા બધા ત્રિરંગા, હવે મળી શિરચ્છેદની ધમકી, કહ્યુ અમારું ISI સાથે છે જોડાણ

ઘરની દિવાલ પર એક ધમકીભર્યો પત્ર (Threatening letter) ચોંટાડવામાં આવતા સમગ્ર પરિવાર ગભરાટમાં છે. જો કે પોલીસે પરિવારને સુરક્ષા પુરી પાડી છે. કેસ નોંધવાની સાથે જ પોલીસની અનેક ટીમોએ ઘમકી સંદર્ભે તપાસ શરૂ કરી છે.

લોકોમાં વહેંચ્યા ઘણા બધા ત્રિરંગા, હવે મળી શિરચ્છેદની ધમકી, કહ્યુ અમારું ISI સાથે છે જોડાણ
Threatening letter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 10:29 AM

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. દરેક ભારતીય આઝાદીપર્વની (Independence Day) ઉજવણી કરી રહ્યો છે. આવા સમયે, ત્રિરંગો ઝંડો વહેંચવા બદલ બિજનૌરના (Bijnor) એક ગરીબ પરિવારનું માથું કાપી નાખવાની ધમકીથી સનસનાટી ફેલાઈ ગઈ છે. લોકોને ત્રિરંગો આપનારના ઘરની દિવાલ પર એક ધમકીભર્યો પત્ર ચોંટાડવામાં આવતા સમગ્ર પરિવારમાં ગભરાટ ફેલાયો છે. જો કે પોલીસે પરિવારના ઘરે સુરક્ષા પુરી પાડી છે. આ સાથે જ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ પોલીસની અનેક ટીમે તપાસ શરૂ કરી છે.

ઉતરપ્રદેશમાં અરુણ કશ્યપ ઉર્ફે અન્નુનો પરિવાર બિજનૌરના કિરાતપુર શહેરના બુધુપાડા વિસ્તારમાં એક નાનકડા મકાનમાં રહે છે. અરુણની પત્ની આંગણવાડી કાર્યકર છે. 14 ઓગસ્ટની સવારે અરુણ કશ્યપના પરિવારને ઘરની મુખ્ય દિવાલ પર હાથથી લખેલો પત્ર ચોંટાડાયેલો જોવા મળ્યો. જેમાં ધમકી આપવામાં આવી છે. દિવાલ પર ચોંટાડેલા પત્રમાં લખ્યું છે કે “અન્નુ, હું તમને ઘરે-ઘરે ત્રિરંગો આપવા બદલ ખૂબ જ ખુશ છું, તમારું માથું પણ શરીરથી અલગ કરવું પડશે – ISI સાથીઓ.

ધમકી પત્રમાં ISI નો ઉલ્લેખ

ધમકીભર્યો પત્ર જોઈને અન્નુ અને તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને અરુણ કશ્યપના પરિવારને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડી. આ સાથે સર્કલ ઓફિસરની દેખરેખ હેઠળ પોલીસ ટીમો મુકીને પોલીસે અજાણ્યા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એસપી સિટી ડોક્ટર પ્રવીણ રંજન સિંહે કહ્યું કે જે પણ હકીકતો સામે આવશે તેના આધારે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આખો પરિવાર ગભરાટમાં

સાથે જ અરુણ કશ્યપ અને તેનો પરિવાર ગભરાટમાં છે. ધમકી બાદ આખો પરિવાર એક નાના રૂમમાં કેદ છે. પરિવારના ચહેરા પર ડરની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. અરુણનું કહેવું છે કે જેણે પણ આવું કૃત્ય કર્યું છે તે જલ્દી પોલીસની કસ્ટડીમાં આવે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">