Helicopter Crash: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત 14 ના મોત થયા છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવોએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.

Helicopter Crash: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ
Bipin rawat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:16 PM

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થતા તેમા સવાર CDS બિપિન રાવત, તેમના પત્ની સહિતના લોકોના મૃત્યુ છે. વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી. તમામના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, જનરલ રાવત દેશના ખૂબ સારા સૈનિક હતા. સેનાના આધુનિકરણમાં તેમનો મોટો ફાળો છે. જનરલ રાવતના નિધન પર દુખી છુ. દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભુલે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઘટનાને દુખદ ગણાવી

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, “જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળ અવસાનથી આઘાતમાં અને દુઃખી છુ. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ શૌર્ય અને બહાદુરીથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

રક્ષા પ્રધાને બિપિન રાવતના મોત પર દુખ વ્યક્ત કર્યુ.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને કહ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી.

ગૃહ પ્રધાન અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">