Helicopter Crash: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ
તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત 14 ના મોત થયા છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવોએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થતા તેમા સવાર CDS બિપિન રાવત, તેમના પત્ની સહિતના લોકોના મૃત્યુ છે. વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી. તમામના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, જનરલ રાવત દેશના ખૂબ સારા સૈનિક હતા. સેનાના આધુનિકરણમાં તેમનો મોટો ફાળો છે. જનરલ રાવતના નિધન પર દુખી છુ. દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભુલે.
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
— Narendra Modi (@narendramodi) December 8, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઘટનાને દુખદ ગણાવી
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, “જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળ અવસાનથી આઘાતમાં અને દુઃખી છુ. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ શૌર્ય અને બહાદુરીથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family.
— President of India (@rashtrapatibhvn) December 8, 2021
રક્ષા પ્રધાને બિપિન રાવતના મોત પર દુખ વ્યક્ત કર્યુ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને કહ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી.
Deeply anguished by the sudden demise of Chief of Defence Staff Gen Bipin Rawat, his wife and 11 other Armed Forces personnel in an extremely unfortunate helicopter accident today in Tamil Nadu.
His untimely death is an irreparable loss to our Armed Forces and the country.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
ગૃહ પ્રધાન અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
— Amit Shah (@AmitShah) December 8, 2021