મમતા બેનર્જીએ કહ્યું, “કલકત્તા સહીત ચાર શહેરો બને રાષ્ટ્રીય રાજધાની”

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર યોજાય.

મમતા બેનર્જીએ કહ્યું, કલકત્તા સહીત ચાર શહેરો બને રાષ્ટ્રીય રાજધાની
ફાઈલ ફોટો: મુખ્યપ્રધાન મમતા બેનર્જી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 1:24 PM

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનાં નેતૃત્વમાં કલકત્તામાં શ્યામા બજારથી મેયો રોડમાં ગાંધી પ્રતિમા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રા સાયરનના અવાજ અને શંખધ્વનીથી શરૂ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ આ દિવસને દેશનાયક દિવસના રૂપે ઉજવે છે. આ દિવસે કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવાવનો નિર્ણય કરતા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત દેશમાં ચાર અલગ અલગ જગ્યાએ રાજધાની બનાવવાનો વાત કરી હતી.

માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું જે રાષ્ટ્રીય રાજધાની  માત્ર DELHIમાં જ સીમાબદ્ધ કેમ? આ સાથે જ એમણે કહ્યું કે દેશમાં દિલ્હીના બદલે કલકત્તા સહીત ચાર શહેરોમાં રાષ્ટ્રીય રાજધાની બને. મમતા બેનર્જીએ કહ્યું કલકત્તા પણ દેશની રાજધાની બને, આ સાથે જ દક્ષીણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરલ કે અન્ય રાજ્યમાં એક રાજધાની બને. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણામાં, પૂર્વમાં બિહાર, ઓડીશા, બંગાળમાં રાજધાની બને અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં એક રાજધાની બને. માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર યોજાય.

પરાક્રમ દિવસ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ જાહેર કરવા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે પરાક્રમ દિવસ જાહેર કરવા અંગે કોઈ સાથે વાતચીત કરવામાં આવી નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશપ્રેમના પ્રતિક છે. રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચંદ્ર બોઝને દેશનાયકની ઉપાધી આપી હતી. નેતાજીએ આઝાદ હિન્દ ફોજનું નિર્માણ કર્યું હતું અને પ્લાનિંગ કમીશનના ગઠનની વાત કરી હતી, પરંતુ વર્તમાન સરકારે પ્લાનિંગ કમીશનને વિખેરી નાખ્યું અને એના સ્થાને નીતિ આયોગનું ગઠન કર્યું. મમતાએ કહ્યું તેઓ નીતિ આયોગનો વિરોધ નથી કરી રહ્યાં પણ પ્લાનિંગ કમીશનને ફરી બહાલ કરવું જોઈએ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

બંગાળનો ઇતિહાસ બદલવાના પ્રયત્નો થઇ રહ્યા છે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિરોધીઓ પર આરોપ લગાવ્યા કે બંગાળનો ઇતિહાસ બદલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એમણે કહ્યું સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળનું મોટું યોગદાન છે. બંગભંગ આંદોલનની શરૂઆત બંગાળથી જ કરવામાં આવી હતી. ભારતીય પુનર્જાગરણની શરૂઆત પણ બંગાળથી જ થઇ હતી. બંગાલે ક્યારેય કોઈની સામે માથું નમાવ્યું નથી અને નમાવશે નહિ. વન નેશન, વન પાર્ટી અને વન નોટની વાત કરવામાં આવી રહી છે. ઈતિહાસની ખોટી વ્યાખ્યા કરવામાં આવી રહી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">