મહારાષ્ટ્રમાં ધોરણ 9થી12ની શાળા ફરી શરૂ કરવા ગતિવિધિઓ શરૂ કરાઈ ,જાણો ક્યારથી ખુલી શકે છે શાળાના દરવાજા
કોરોના મહામારીના કારણે લોકડાઉનલડાવાયા બાદ શાળાઓ બંધ કરાઈ હતી અને હજુ તે ખોલવામાં આવી નથી. અનલોક દરમ્યાન જયારે હવે સલામતી સાથે તમામ ક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે પણ નવેમ્બર ૨૩ થી શાળાઓ ફરી ખોલવા ભલામણ કરી છે. દિવાળી વેકેશન બાદ ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ ખુલ્લી મુકાઈ શકે છે. […]
કોરોના મહામારીના કારણે લોકડાઉનલડાવાયા બાદ શાળાઓ બંધ કરાઈ હતી અને હજુ તે ખોલવામાં આવી નથી. અનલોક દરમ્યાન જયારે હવે સલામતી સાથે તમામ ક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે પણ નવેમ્બર ૨૩ થી શાળાઓ ફરી ખોલવા ભલામણ કરી છે.
દિવાળી વેકેશન બાદ ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ ખુલ્લી મુકાઈ શકે છે. એક વર્ગમાં મહત્તમ ૨૦ થી ૩૦ બાળકો સાથે અભ્યાસ શરુ કરાઈ શકે છે જોકે વાલીઓનો મિશ્રે પ્રતિસાદ મળી રહ્યો છે
શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે શાળાઓએ લેખિત પરવાનગી લેવાની રહેશે. શાળાઓનું શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓની હાજરી ઉપર નિર્ભર રહેશે નહિ પરંતુ ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રાખવામાં આવશે. કોલેજ પણ કોરોનકલમાં બંધ છે ત્યારે તેને પણ ખોલવા માટે વિચારણા કરશે. વિભાગના મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે કોલેજ અંગે નિર્ણય મુખ્ય પ્રધાન અને વાઇસ ચાન્સેલર લેશે. કોલેજ અને ઉચ્ચતર ટેક્નિકલ એજ્યુકેશન શરૂ કરવા મામલે દિવાળી બાદ કોઈ નિર્ણય આવી શકે છે.
શાળાઓ ખોલવાના સ્વનિર્ણયથી શાળાઓ દૂર રહેવાનો પ્રયત્ન કરી રહી છે જે ઠોબો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. જે ૨૩ નવેમ્બરે શાળાઓ ખોલવા અંગે સરકારના આદેશનો ઇંતેજાર કરી રહી છે. શાળાઓ પ્રારંભે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ન બોલાવી પ્રેક્ટિકલ અને એસેસમેન્ટ માટે આવવા કહી શકે છે.વાલીઓમાં મિશ્રા પરિસદ જોવા મળી રહ્યો છે કેટલાક વાલીઓનું કહેવું છે કે જૂજ શિક્ષકો માટે મોટી સંખ્યામાં બાળકોને જોખમ સામે નિયંત્રણમાં રાખવું મુશ્કેલ અને બાદમાં જોખમી પણ સાબિત થઇ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો