Maharashtra : ઉદ્ધવ જૂથને મોટી રાહત, ચૂંટણી પંચે શિવસેના મુદ્દે હાલમાં નિર્ણય ન લેવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્રમાં (Maharashtra) એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચમાં શિવસેના પાર્ટી પર દાવો કર્યો છે. આ અંગે ચૂંટણી પંચમાં 8 ઓગસ્ટે સુનાવણી થવાની છે. એટલે કે સુપ્રીમ કોર્ટના આજના આદેશ બાદ ચૂંટણી પંચની પ્રક્રિયા અટકી શકે છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra)શિવસેનાની(Shivsena)પાર્ટી પર અધિકારોને લઈને સર્જાયેલા સંકટ પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે. કોર્ટે કહ્યું- સોમવારે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે કે આ મામલો 5 જજોની બેંચને સોંપવો જોઈએ કે નહીં? CJIએ ચૂંટણી પંચના વકીલને કહ્યું- 8 ઓગસ્ટ બંને પક્ષો માટે ચૂંટણી પંચમાં એફિડેવિટ આપવાની તારીખ છે. જો કોઈ પક્ષ સમય માંગશે તો ચૂંટણી પંચ તેના પર વિચાર કરશે. આ પહેલા ગુરુવારે થયેલી સુનાવણીમાં શિવસેનાના 16 ધારાસભ્યોને બરતરફ કરવાના મામલાની પ્રથમ સુનાવણી થઈ હતી. શિંદે કેમ્પના વકીલ હરીશ સાલ્વેએ સૌપ્રથમ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સ્પીકરની શક્તિઓ અને પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો આપતા સાલ્વેએ કહ્યું- જ્યાં સુધી ધારાસભ્ય તેમના પદ પર છે ત્યાં સુધી તેઓ ગૃહની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હકદાર છે.
જો તે પાર્ટી વિરુદ્ધ મત આપે તો પણ તે મત માન્ય ગણાશે. જેના પર CJI રમન્નાએ સવાલ કર્યો- શું એક વખત ધારાસભ્ય ચૂંટાયા પછી પાર્ટીનું નિયંત્રણ તેના પર નથી રહેતું? તેઓ પક્ષના ધારાસભ્ય દળના શિસ્ત માટે જ જવાબદાર હોય છે? આ તરફ, ઉદ્ધવ જૂથના વકીલ સિબ્બલે CJIને અપીલ કરી – આ મામલાને બંધારણીય બેંચમાં ન મોકલો. અમે અમારી દલીલ 2 કલાકમાં પૂરી કરી શકીએ છીએ. ગેરલાયક ઠરેલા ધારાસભ્યો ચૂંટણી પંચમાં વાસ્તવિક પક્ષ હોવાનો દાવો કેવી રીતે કરી શકે? તેના પર CJIએ કહ્યું- આમ કરવાથી કોઈને રોકી શકાય નહીં
હરીશ સાલ્વેએ દલીલો કરી
એકનાથ શિંદે જૂથની દલીલ કરતા હરીશ સાલ્વેએ કહ્યું કે કાયદા હેઠળ ઉઠાવવામાં આવેલા પ્રશ્નો દાખલ કરવામાં આવ્યા છે. સાલ્વેએ કહ્યું કે જો સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવામાં વિલંબ કરે છે, તો આ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય કેસોમાં પણ જોવા મળ્યું છે. સ્પીકર અયોગ્યતાના નિર્ણયને 2 થી 3 મહિના માટે અટકાવી દે છે. હરીશ સાલ્વેએ કહ્યું કે શું આવી કાર્યવાહી દરમિયાન ગેરલાયક ધારાસભ્યોએ કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ? તેમણે કોર્ટમાં જે પ્રશ્ન રજૂ કર્યો તેના પર કોર્ટે કહ્યું હતું કે, તે પ્રશ્નો સ્પષ્ટ નથી. કોર્ટે સાલ્વેને તે પ્રશ્નો ફરીથી રજૂ કરવા કહ્યું હતું. આજે સાલ્વેએ તે પ્રશ્નો દાખલ કર્યા છે.
સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવામાં 2-3 મહિનાનો વિલંબ કરે છે
એકનાથ શિંદે જૂથ વતી, સાલ્વેએ જણાવ્યું હતું કે જો કોઈ ભ્રષ્ટાચારના કારણે ગૃહમાં ચૂંટાય છે અને જ્યાં સુધી તેને ગેરલાયક ઠેરવવામાં ન આવે ત્યાં સુધી તેના દ્વારા લેવાયેલી કાર્યવાહી કાયદેસર છે. હરીશ સાલ્વેએ કહ્યું કે સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવામાં 2-3 મહિનાનો વિલંબ કરે છે, આ સ્થિતિમાં શું થવું જોઈએ? શું તેણે ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવો જોઈએ? આ સમયગાળા દરમિયાન જે કાયદો પસાર થશે તેનું શું થશે? હરીશ સાલ્વેએ કહ્યું કે આવાસમયે પસાર થયેલો કાયદો માન્ય રહેશે નહીં.
સાલ્વેએ જણાવ્યું હતું કે કોર્ટમાં અરજી દાખલ કરવી અને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી બે મહિના પછી થાય છે અને તે દરમિયાન જો કોઈ સભ્ય ગૃહમાં મતદાન કરે છે, તો એવું નથી કે જો તે બે મહિના પછી ગેરલાયક ઠરે તો તેનો મત માન્ય રહેશે નહીં.