Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ, 594 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી લોકોના મૃત્યુ હજુ પણ ચિંતાનો વિષય છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 26,672 નવા કેસ નોંધાયા છે
Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી લોકોના મૃત્યુ હજુ પણ ચિંતાનો વિષય છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 26,672 નવા કેસ નોંધાયા છે જયારે કોરોનાના લીધે 594 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં નવા કેસો પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 55,79,897 થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના સક્રિય કેસ હાલમાં 3,48,395 છે.
મુંબઈમાં 24 કલાકમાં 1431 કોરોના પોઝિટિવ કેસ
Maharashtra ની રાજધાની મુંબઈની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 1431 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે આ દરમ્યાન વધુ 1,470 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 6,52,686 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મુંબઇમાં અત્યારે 28,410 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
જૂનથી રસીકરણ અભિયાનને વેગ મળશે: ઠાકરે
આ દરમ્યાન Maharashtra ના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જૂનથી પર્યાપ્ત સંખ્યામાં રસી આવ્યા બાદ રસીકરણ અભિયાનને ગતિ પ્રાપ્ત થશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે પીડીયાટ્રિક્સ કોવિડ -19 તાલીમ વર્કશોપનું ઉદઘાટન કરતા ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની સરકાર સતત રસી પુરવઠાના મુદ્દા પર ચર્ચા કરી રહી છે, તેમજ 18-44 વય જૂથના લોકોને 12 કરોડ ડોઝની એક સાથે રકમ ચૂકવણી કરવા તૈયાર છે. રાજ્યની કુલ વસ્તીમાં આ વય જૂથના 60 કરોડ લોકો છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, મને ખાતરી છે કે જૂન પછી સપ્લાય સરળ બન્યા બાદ રસીકરણ અભિયાનને વેગ મળશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551 નવા કેસ
ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4209 લોકોનાં કોરોનાના લીધે મૃત્યુ થયા છે. જયારે દેશમાં અત્યાર સુધી 2, 91 331 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 357295 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે આજદિન દેશમાં કોરોના રસીના 19 કરોડથી વધુ ડોઝ મુકવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવ્યા
દેશમાં કોરોનાની સાથે જીવલેણ બ્લેક ફંગસનું સંકટ ઘેરાયું છે. અત્યાર સુધીમાં આ રોગના કુલ 7251 કેસ નોંધાયા છે. તેમાંથી 219 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન જોવા મળેલી આ પ્રકારની બીમારી ધીરે ધીરે લોકો માટે ઘાતક બની રહી છે.