Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ, 594 લોકોના મૃત્યુ

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી લોકોના મૃત્યુ હજુ પણ ચિંતાનો વિષય છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 26,672 નવા કેસ નોંધાયા છે

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ, 594 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,672 કેસ
Follow Us:
| Updated on: May 23, 2021 | 10:35 PM

Maharashtra Corona Update :  મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી લોકોના મૃત્યુ હજુ પણ ચિંતાનો વિષય છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 26,672 નવા કેસ નોંધાયા છે જયારે કોરોનાના લીધે 594 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં નવા કેસો પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 55,79,897 થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના સક્રિય કેસ હાલમાં 3,48,395 છે.

મુંબઈમાં 24 કલાકમાં 1431 કોરોના પોઝિટિવ કેસ

Maharashtra ની રાજધાની મુંબઈની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 1431 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે આ દરમ્યાન વધુ 1,470 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 6,52,686 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મુંબઇમાં અત્યારે 28,410 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

જૂનથી રસીકરણ અભિયાનને વેગ મળશે: ઠાકરે

આ દરમ્યાન Maharashtra ના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જૂનથી પર્યાપ્ત સંખ્યામાં રસી આવ્યા બાદ રસીકરણ અભિયાનને ગતિ પ્રાપ્ત થશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે પીડીયાટ્રિક્સ કોવિડ -19 તાલીમ વર્કશોપનું ઉદઘાટન કરતા ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની સરકાર સતત રસી પુરવઠાના મુદ્દા પર ચર્ચા કરી રહી છે, તેમજ 18-44 વય જૂથના લોકોને 12 કરોડ ડોઝની એક સાથે રકમ ચૂકવણી કરવા તૈયાર છે. રાજ્યની કુલ વસ્તીમાં આ વય જૂથના 60 કરોડ લોકો છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, મને ખાતરી છે કે જૂન પછી સપ્લાય સરળ બન્યા બાદ રસીકરણ અભિયાનને વેગ મળશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,551 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4209 લોકોનાં કોરોનાના લીધે મૃત્યુ થયા છે. જયારે દેશમાં અત્યાર સુધી 2, 91 331 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 357295 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે આજદિન દેશમાં કોરોના રસીના 19 કરોડથી વધુ ડોઝ મુકવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં પણ  બ્લેક ફંગસના કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાની સાથે જીવલેણ બ્લેક ફંગસનું સંકટ ઘેરાયું છે. અત્યાર સુધીમાં આ રોગના કુલ 7251 કેસ નોંધાયા છે. તેમાંથી 219 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ  બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન જોવા મળેલી આ પ્રકારની બીમારી ધીરે ધીરે લોકો માટે ઘાતક બની રહી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">