Mahapanchayat in Haryana : હરિયાણામાં મહાપંચાયતે 29 ગામના લોકો સાથે ખેડૂત આંદોલનનો કર્યો વિરોધ

Mahapanchayat in Haryana : મહાપંચાયતમાં દિલ્હીના 12 અને હરિયાણાના 15 ગામોના લોકો શામેલ છે. આ મહાપંચાયતમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી.

Mahapanchayat in Haryana : હરિયાણામાં મહાપંચાયતે 29 ગામના લોકો સાથે ખેડૂત આંદોલનનો કર્યો વિરોધ
FILE PHOTO : FARMER'S PROTEST
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 6:16 PM

Mahapanchayat in Haryana : દિલ્હીની સીમા પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો  વિરૂધ્ધ દિલ્હીના ગ્રામ્ય વિસ્તાર અને હરિયાણાના ગામોના ખેડૂતોએ એકત્રીત કરવાનું શરૂ કર્યું છે. રવિવારે દિલ્હી સહિત હરિયાણાને અડીને આવેલા ડઝનબંધ ગામોના ખેડૂતોએ ખેડૂત આંદોલન (farmers protest) સામે મહાપંચાયત કરી હતી.

મહાપંચાયતે ખેડૂત આંદોલનનો વિરોધ કર્યો લગભગ સાત મહિનાથી દિલ્હી સરહદ પર ધરણા કરી રહેલા ખેડૂતો સામે હવે ધીમે ધીમે અવાજ ઉઠી રહ્યો છે. હરિયાણાના શેરશાહ ગામમાં આજે 36 બિરાદરોની મહાપંચાયત (Mahapanchayat in Haryana) યોજાઇ. આ મહાપંચાયત ખેડૂત આંદોલનના વિરોધમાં યોજાઇ રહી છે. મહાપંચાયતમાં દિલ્હીના 12 અને હરિયાણાના 15 ગામોના લોકો શામેલ છે. શેરશાહ ગામ એ હરિયાણામાં સિંઘુ સરહદને અડીને આવેલું એક ગામ છે.આ મહાપંચાયતમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી.

બેરીકેટ હટાવવામાં આવે હરિયાણામાં યોજાયેલી મહાપંચાયત (Mahapanchayat in Haryana) દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે સીમા પર ખેડૂતોના અંદોલનથી હિંસામાં સતત વધારો થયો છે, છૂટાછવાયા બનાવોને બાદ કરતા, ઘણી વખત આજુબાજુના લોકો સાથે ઝઘડા થયા હોવાનું જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ અને બેરીકેટ દૂર કરવા જોઈએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કામ-ધંધા ઠપ્પ થવાનો આરોપ હરિયાણામાં યોજાયેલી આ મહાપંચાયત (Mahapanchayat in Haryana) ના સંગઠન સાથે સંકળાયેલા સંદીપે જણાવ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો લગભગ 7 મહિનાથી નેશનલ હાઈવે બ્લોક કરીને બેઠા છે. આને કારણે ગામના લોકો સિવાય સરહદી માર્ગો પર દુકાનદારો, આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારના ફેક્ટરી માલિકો અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોના કામ-ધંધા ઠપ્પ થઇ ગયા છે. કોરોનાના પ્રથમ લોકડાઉન પછી, લોકો તેમના રોજગારના સ્થળ પર જવાલાગ્યા હતા ત્યાં જ ખેડૂતોએ ત્યાં પડાવ નાખી દીધો હતો.

નેશનલ હાઇવેનો એક ભાગ ખોલવાની માંગ ખેડૂત આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો કહી ચુક્યા છે કે તેઓ આંદોલન ચાલુ રાખશે. મહાપંચાયતે માંગ છે કે ભેલ ખેડૂતોનું અંદોલન શરૂ રહે, પણ નેશનલ હાઈવેનો એક ભાગ ખોલવામાં આવે. આંદોલન સામે કયા પગલા ભરવા જોઈએ તે અંગે રવિવારની પંચાયત પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

ખેડૂત આંદોલનની આડમાં ગુનાઓ હકીકતમાં આ ગ્રામજનો ખેડૂત આંદોલન (Farmers  Protest) ની આડમાં કરવામાં આવતા ગુનાહિત કૃત્યોથી રોષે ભરાયા છે. છેલ્લા સાત મહિનાથી ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા છે, આ દરમિયાન ટીક્રી બોર્ડર પર એક વ્યક્તિને જીવતો સળગાવી દેવા અને એક યુવતી પર બળાત્કાર કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">