
પ્રયાગરાજ મહાકુંભની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા આ ઉત્સવમાં ભાગ લેવા માટે દરરોજ લાખો લોકો જોડાઈ રહ્યા છે. 29 જાન્યુઆરીએ યોજાનાર મૌની અમાસ સ્નાન માટે કરોડો લોકોની ભીડ જોવા મળી હતી. જેના કારણે કુંભ નગરી પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રે ભાગદોડ મચી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મહાકુંભમાં આજે એટલે કે બુધવારે મૌની અમાસના દિવસે અમૃત સ્નાન છે. જેના કારણે પ્રયાગરાજમાં લગભગ 5 કરોડ ભક્તો હાજર રહેશે એવો અંદાજ હતો. અમૃત સ્નાનને કારણે મોટાભાગના પોન્ટૂન પુલ બંધ કરવામાં આવ્યા હતા. આના કારણે સંગમ ખાતે કરોડો લોકોની ભીડ એકઠી થવા લાગી. જેના કારણે કેટલાક લોકો બેરિકેડમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા. જેને જોઈને નાસભાગની અફવા ફેલાઈ ગઈ. સંગમ નોજ પર પ્રવેશ અને બહાર નીકળવાના કોઈ અલગ રસ્તા નહોતા. લોકો જે રસ્તે આવી રહ્યા હતા તે જ રસ્તે પાછા જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે નાસભાગ મચી...