Madhya Pradesh: ગુનામાં શિકારીઓનો પોલીસ પર હુમલો , SI સહિત 3 પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા
ગુનામાં શિકારીઓએ SI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મચારીઓ(Police Officers)ની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
Madhya Pradesh: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ગુના જંગલમાં શિકારીઓએ પોલીસ ટીમ પર હુમલો (Attack On Police) કર્યો. શિકારીઓએ SI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટનાને દુઃખદ ગણાવતા રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Home Minister Narottam Mishra) એ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે, પોલીસને કેટલાક બદમાશોની માહિતી મળી હતી. પોતાને ચારે બાજુથી ઘેરાયેલા જોઈને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. અમારા એક એસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ શહીદ થયા.
Madhya Pradesh | 3 Police personnel including SI of Aron police station, head constable and constable were shot dead by poachers in the forest under the limits of Aron PS in Guna. The police team was attacked by the poachers: SP Guna Rajeev Mishra
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 14, 2022
મધ્યપ્રદેશના ગુનામાં શિકારીઓએ 3 પોલીસકર્મીઓની હત્યા કરી નાખી છે. માર્યા ગયેલા પોલીસકર્મીઓમાં SI રાજકુમાર, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ અને હવાલદાર સંતરામ મીનાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે પોલીસને બાતમી મળી હતી કે શાહરોક ગામના કલ્વર્ટની પેલે પાર મૌનવારાના જંગલમાં શિકારીઓએ કાળા હરણ અને મોરનો શિકાર કર્યો છે. આના પર એસઆઈ રાજકુમાર જાટવ, હેડ કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ અને કોન્સ્ટેબલ સંતરામ મીના સહિત સાત લોકો પોલીસ સ્ટેશનથી જંગલ તરફ રવાના થયા હતા.
આ દરમિયાન પોલીસે ચાર મોટરસાઈકલ પરથી આવેલા બે-ત્રણ શિકારીઓને પકડી લીધા હતા, પરંતુ પાછળથી આવેલા શિકારીઓના અન્ય સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં ગોળી વાગવાથી ત્રણ પોલીસકર્મીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ સમયે, ત્રણ સૈનિકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રીએ કહ્યું- બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
घटना बहुत दुखद है। कुछ बदमाशों की सूचना पुलिस को मिली थी। बदमाशों ने अपने आप को चारों तरफ से घिरा देखकर फायरिंग शुरू कर दी। हमारे एक SI, एक हेड कांस्टेबल और एक कांस्टेबल शहीद हो गए। सुबह से ही मैं संपर्क में हूं: गुना की घटना पर म.प्र. के गृह मंत्री नरोत्तम मिश्रा pic.twitter.com/xnc5A0gPxn
— ANI_HindiNews (@AHindinews) May 14, 2022
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે પોલીસને કેટલાક બદમાશો વિશે માહિતી મળી હતી. પોતાને ચારે બાજુથી ઘેરાયેલા જોઈને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. અમારા એક એસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ શહીદ થયા. હું સવારથી સંપર્કમાં છું. અમે તેમને જલ્દી પકડી લઈશું. આ બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે… 5 હરણના માથા મળી આવ્યા છે, 2 હરણના મૃતદેહ મળી આવ્યા છે, મોરના મૃતદેહ પણ મળી આવ્યા છે.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ઈમરજન્સી બેઠક બોલાવી
આ ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે સવારે 9.30 વાગ્યે ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મુખ્ય સચિવ, ડીજીપી, એડીજી, પીએસ હોમ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજરી આપશે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટના અંગે સરકાર કેવા પગલા ભરે છે.