Lord Jagannath Temple: પુરીનું જગન્નાથ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું, દર્શન પહેલાં ભક્તોએ પાળવી પડશે આ શરત

કોરોના માર્ગદર્શિકા અનુસાર, તમામ ભક્તોને સોમવારથી શુક્રવાર સવારે 7 વાગ્યાથી સાંજેના 7 વાગ્યા સુધી જગન્નાથ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે સફાઈ માટે મંદિર બંધ રાખવામાં આવશે.

Lord Jagannath Temple: પુરીનું જગન્નાથ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું, દર્શન પહેલાં ભક્તોએ પાળવી પડશે આ શરત
Lord Jagannath Temple Puri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 2:03 PM

Odisha: પુરીના વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ( Jagannath Temple ) લગભગ ચાર મહિના સુધી બંધ રહ્યા બાદ સોમવારથી ખુલી ગયુ છે. એક દિવસ અગાઉ, એટલે કે રવિવારે, પોલીસે ભક્તોને અપીલ કરી હતી કે તેઓ મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો અનુભવ પોલીસને જણાવે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ભક્તો મંદિરમાં દર્શન કરવા અંગે તેમના અનુભવો પોલીસ ને જણાવી શકે છે, જેના માટે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે.

તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ભક્તો ઓનલાઇન ‘QR કોડ’ દ્વારા પણ તેમના પ્રતિભાવ આપી શકે છે. તેમ પુરી પોલીસે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ‘અમારી અપીલ છે કે તમારા અનુભવો અમારી સાથે શેર કરો જેથી મંદિરમાં દર્શનનો તમારો અનુભવ અન્ય ભક્તો માટે દર્શન કરવા બાબતે વધુ સારી અને સરળ પધ્ધતિ બનાવી શકાય. મંદિર 24 એપ્રિલના રોજ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વેક્સિન સર્ટિફિકેટ અથવા કોવિડ રિપોર્ટ જરૂરી

ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલા કોરોનાની રસી લીધી હોવાનુ સર્ટિફિકેટ અથવા તો કોવિડ ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે મંદિરને ફરીથી ભક્તો માટે ખોલતા પહેલા ફરજ પરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની વિગતવાર બ્રીફિંગ કરવામાં આવ્યુ છે. કોરોના માર્ગદર્શિકા અનુસાર, તમામ ભક્તોને સોમવારથી શુક્રવાર સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે મંદિર બીજી સુચના આપવામાં ના આવે ત્યા સુધી દર શનિવાર અને રવિવારે જરૂરી સાફ સફાઈ માટે બંધ રાખવામાં આવશે.

96 કલાકથી જૂનો રિપોર્ટ માન્ય નથી

દર્શન કરવા આવનારા લોકોની ભીડને ટાળવા માટે મુખ્ય તહેવારો દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિરમાં આવતા ભક્તો માટે કોરોના રસી લીધી હોવાનુ સર્ટિફિકેટ અથવા તો કોવિડનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લાવવો જરૂરી રહેશે. જો કે, કોરોના પરિક્ષણનો ટેસ્ટ રિપોર્ટ 96 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. તેમ પણ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ  Ahmedabad : 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વની ઉજવણીને મંજૂરી, જોકે સાર્વજનિક પંડાલને લઈને અસમંજસ, માટીની મૂર્તિની ડિમાન્ડમાં વધારો

આ પણ વાંચોઃ Gujarat : ઘરની અંદર દારૂ પીવા અંગે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, અંગતતાના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">