આ રાજ્યએ લોકડાઉનની સમયમર્યાદા વધારી, 17મેના રોજ નહીં ખુલે લોકડાઉન
તેલંગાણા સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. સરકારે 29 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. તેલંગાણા સરકારે કહ્યું કે તે આ સ્થિતીમાં લોકડાઉન હટાવીને જોખમ લેવા માગતા નથી. જ્યારે રાજ્યમાં કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવામાં ખુબ પ્રગતિ કરી છે. આ પ્રકારે તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ છે. જેને કેન્દ્ર તરફથી જાહેર 17 મે સુધીના લોકડાઉન […]
તેલંગાણા સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. સરકારે 29 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. તેલંગાણા સરકારે કહ્યું કે તે આ સ્થિતીમાં લોકડાઉન હટાવીને જોખમ લેવા માગતા નથી. જ્યારે રાજ્યમાં કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવામાં ખુબ પ્રગતિ કરી છે. આ પ્રકારે તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ છે. જેને કેન્દ્ર તરફથી જાહેર 17 મે સુધીના લોકડાઉન પછી પણ લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્ય સરકારે હૈદરાબાદ અને 5 અન્ય રેડ ઝોન જિલ્લામાં કોઈ પણ પ્રકારની છુટ ના આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આર્થિક ગતિવિધીઓની અનુમતિ માટે દિશાનિર્દેશનું પાલન કરવામાં આવશે.
હૈદરાબાદ અને અન્ય રેડ ઝોન જિલ્લામાં માત્ર નિર્માણ ગતિવિધીને છોડીને બાકી કોઈ પણ પ્રકારની ગતિવિધીને પરવાનગી મળશે નહીં. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં અત્યાર સુધી કોરોનાના 1096 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 628 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, જ્યારે 439 એક્ટિવ કેસ છે અને કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]