‘યુઝર આઈડી’ને આધાર સાથે લિંક કરવાથી એક મહિનામાં 24 ટ્રેન ટિકિટોનું બુકિંગ થઈ શકશે
IRCTC ની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા એક મહિનામાં 24 ટ્રેન ટિકિટ બુક કરી શકે છે, આધાર કાર્ડ (Aadhar card) લિન્ક ન હોય એવી સ્થિતીમાં 12 ટિકિટ જ બુક કરી શકાશે.
‘યુઝર આઈડી’ને ‘આધાર’ સાથે લિંક કરીને, લોકો હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ અને (મોબાઈલ) એપ દ્વારા એક મહિનામાં 24 ટ્રેન ટિકિટ બુક કરી શકે છે, આધાર કાર્ડ લિન્ક ન હોય એવી સ્થિતીમાં 12 ટિકિટ જ બુક કરી શકાશે. ભારતીય રેલ્વેએ સોમવારે આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા IRCTC લોકોને એક મહિનામાં 6 ટિકિટ બુક કરવાની મંજૂરી આપતું હતું, જેઓ વારંવાર પ્રવાસ કરે છે તેમના માટે આ સુવિધા વધુ ફાયદાકારક છે. આ સાથે તે લોકોને પણ ફાયદો થશે જેઓ પરિવારના તમામ સભ્યો માટે ટિકિટ બુક કરાવવા માટે એક જ આઈડીનો ઉપયોગ કરે છે.
આઈડીને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા
1. IRCTC ની અધિકૃત ઈ-ટિકિટીંગ વેબસાઈટ irctc.co.in ની મુલાકાત લો. 2. લોગીન કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો. 3. હોમ પેજ પર ‘માય એકાઉન્ટ વિભાગ’માં ‘આધાર KYC’ પર ક્લિક કરો. 4. હવે તમારો આધાર નંબર દાખલ કરો અને ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો. 5. આધાર કાર્ડ સાથે નોંધાયેલા નંબર પર OTP આવશે. 6. OTP દાખલ કર્યા પછી અને આધાર સંબંધિત વિગતો જોયા પછી, ‘Verify’ પર ક્લિક કરો. 7. હવે તમારા મોબાઇલ પર KYC વિગતો સફળતાપૂર્વક અપડેટ કરવા માટે એક સંદેશ આવશે.
એક નિવેદનમાં, રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે, “મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલ્વેએ આધાર સાથે લિંક ન હોય તેવા યુઝર આઈડી (ઓળખ) નો ઉપયોગ કરીને એક મહિનામાં બુક કરાવવા માટેની મહત્તમ ટિકિટોની સંખ્યા થી વધારીને 12 કરી દીધી છે.” આપવામાં આવેલ છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે આધાર સાથે લિંક કરેલ યુઝર આઈડી દ્વારા એક મહિનામાં બુક કરાવી શકાય તેવી ટિકિટની મહત્તમ મર્યાદા વધારીને 24 કરવામાં આવી છે. ઉપરાંત, બુક કરાવવાની ટિકિટમાં જે મુસાફરોનું નામ હશે તેમાંથી એકનું આધાર દ્વારા વેરિફિકેશન કરાવવું જોઈએ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વારંવાર પ્રવાસીઓ માટે અને તે જ ખાતા (યુઝર આઈડી) પરથી પરિવારના સભ્યો માટે ટ્રેન ટિકિટ બુક કરાવનારાઓ માટે પણ મદદરૂપ થશે.
આગામી 3-4 દિવસમાં આદેશનો અમલ થવાની શક્યતા છે
IRCTC પોર્ટલમાં કેટલાક ફેરફારો કર્યા પછી, આ આદેશ આગામી 3-4 દિવસમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં, બુક કરાયેલી લગભગ 80% ટિકિટો ઓનલાઈન છે. તેને વધારીને 90% સુધી પહોંચાડવાનું રેલવેનું લક્ષ્ય છે. IRCTC એ રેલવે ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે ભારતીય રેલવેનું એકમાત્ર અધિકૃત એકમ છે. એટલું જ નહીં, IRCTC એ એકમાત્ર એકમ છે જે કેટરિંગ પોલિસી 2017 હેઠળ રેલવે સ્ટેશનો પર કેટરિંગ સેવાઓનું સંચાલન કરવા માટે અધિકૃત છે.