Lakhimpur Kheri Violence: પોલીસ આ 4 મુદ્દાઓ પર આશિષ મિશ્રાની પૂછપરછ કરશે, જાણો 315 બોરની બંદૂકનો મામલો શું છે
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયા છે. આશિષની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ આશિષ પાસેથી પણ માહિતી લેશે કે, તેની ટીમમાં કોઈની પાસે 315 બોરની બંદૂક છે કે નહીં.
Lakhimpur Kheri Violence: લખીમપુર ખીરી હિંસાના આરોપી આશિષ મિશ્રા (Ashish Mishra ) શનિવારે યુપી પોલીસ (UP Police) સમક્ષ હાજર થયા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આશિષ (ashish mishra)ની ચાર મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે બંબીરપુર ગામમાં કુસ્તીના કાર્યક્રમમાં હોવાના તેમના દાવાના સમર્થનમાં તેમને ફોટા, વીડિયો આપવાનું કહેવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, તેમણે જવાબ આપવો પડશે કે, તેમનું વાહન સ્થળ પર કેમ હતું. મંત્રી અજય મિશ્રાએ આ પ્રકરણમાં તેમના પુત્રની સંડોવણીના આરોપોને નકાર્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે, કાર્યક્રમમાં પોલીસ અને વહીવટ સહિત હજારો લોકો હાજર હતા. મારો પુત્ર સવારે 11 વાગ્યાથી ત્યાં હતો અને કાર્યક્રમના અંત સુધી ત્યાં જ રહ્યો. તેથી મારો પુત્ર ઘટના પર હાજર રહે તેવી કોઈ શક્યતા નથી.
પીડિત ખેડૂતે કહ્યું – તે હત્યાનું ષડયંત્ર હતું
મેદાંતા હોસ્પિટલ (Medanta Hospital)માં દાખલ એક ખેડૂતે દાવો કર્યો છે કે, તેણે આશિષ અને તેના માણસોને કારમાં જોયા હતા. ખેડૂતે કહ્યું કે અમને મારવાનું ષડયંત્ર હતું. અજય મિશ્રા (ajay mishra)એ નિવેદન આપ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં ખેડૂતો (Farmer)ને વિરોધ કરવા દેશે નહીં. અમે કાળા ઝંડા સાથે આ નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. અમે પોલીસ અને વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં હતા.
315 બોરની બંદૂકનો શું છે કેસ?
સાથે જ પોલીસ આશિષ પાસેથી માહિતી પણ લેશે કે, તેની ટીમમાં કોઈની પાસે 315 બોરની બંદૂક છે કે નહીં. કારણ કે સ્થળ પરથી કારમાંથી તેના ખાલી કારતુસ મળી આવ્યા છે. આ સાથે, તેને એ પણ પૂછવામાં આવશે કે તેનું વાહન ટિકોનિયા રૂટ પર કેમ હતું. જ્યારે પોલીસે ભાજપ (BJP) ના નેતાઓના આંદોલન માટે રસ્તો ડાયવર્ટ કર્યો હતો.
આ ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા
માહિતી અનુસાર, બહરાઈચ જિલ્લાના જગજીત સિંહની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, હિંસા પૂર્વ આયોજિત હતી. આ માટે મંત્રી અને તેમના પુત્રએ કાવતરું ઘડ્યું. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા. જેના કારણે હિંસા થઈ અને 8 લોકોના મોત થયા. એફઆઈઆર (FIR)માં એવું પણ લખવામાં આવ્યું છે કે, તે દિવસે ખેડૂત મહારાજ અગ્રસેન ઈન્ટર કોલેજના મેદાનમાં ભેગા થયા હતા અને બાનબીર જતા ડેપ્યુટી સીએમ (Deputy CM) કેશવ પ્રસાદ મૌર્ય સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : આત્મહત્યા કરવા 9 માં માળેથી કૂદેલો વ્યક્તિ નીચે ઉભેલી BMW પર પડ્યો ને બચી ગયો જીવ