લદ્દાખના તુર્તુક સેક્ટરમાં મોટી દુર્ઘટના, સૈનિકોને લઈ જતી ટ્રક શ્યોક નદીમાં ખાબકી, 7 જવાનો શહીદ, અનેક ઘાયલ

લદ્દાખના તુર્તુક સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોને લઇને જતી એક ટ્રક નદીમાં ખાબકી છે. જેમાં 7 ભારતીય જવાનો શહીદ થયા છે. અને 19 જવાનો ઘાયલ થયાના સમાચાર છે.

લદ્દાખના તુર્તુક સેક્ટરમાં મોટી દુર્ઘટના, સૈનિકોને લઈ જતી ટ્રક શ્યોક નદીમાં ખાબકી, 7 જવાનો શહીદ, અનેક ઘાયલ
લદ્દાખની શ્યોક નદીમાં ભારતીય સેનાની ટ્રક ખાબકી
Follow Us:
| Updated on: May 27, 2022 | 7:18 PM

લદ્દાખમાં ((Ladakh))એક મોટી દુર્ઘટના બની છે. લદ્દાખના તુર્તુક સેક્ટરમાં ભારતીય સેનાના (Indian Army) જવાનોને લઇને જતી એક ટ્રક નદીમાં ખાબકી છે. જેમાં 7 ભારતીય જવાનો શહીદ થયા છે. અને 19 જવાનો ઘાયલ થયાના સમાચાર છે.સેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલોને ભારતીય વાયુસેનાની મદદથી વેસ્ટર્ન કમાન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ વાહનમાં કુલ 26 સૈનિકો સવાર હતા. દરમિયાન, ગુરુવારે શ્યોક નદીમાં પડતાં સાત જવાનોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે ઘટના સમયે ભારતીય સેનાનું વાહન પરતાપુરથી સબ-સેક્ટર હનીફ તરફ જઈ રહ્યું હતું. રોડ પરથી વાહન સ્લીપ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. વાહન રોડ પરથી લપસીને લગભગ 50 થી 60 ફૂટ નીચે નદીમાં પડ્યું હતું. તમામ 26 જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 7 જવાનોના મોતની પુષ્ટિ થઈ હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પોલીસે FIR નોંધી

ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ નદીમાં પડી ગઈ હતી. લેહ પોલીસ, આર્મી અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી અને જવાનોને હોસ્પિટલ લઈ ગયા. આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 279, 337, 304A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભારતીય સેનાના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે તુર્તુક અકસ્માતમાં ઘાયલ થયેલા 19 સૈનિકોને એરલિફ્ટ કરીને પંચકુલાની ચંડીમંદિર કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, લેહ જિલ્લાના નુબ્રા વિસ્તારમાં થોઈસથી લગભગ 25 કિમી દૂર આવેલા ટુક્ટુક સેક્ટરમાં સવારે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, 26 સૈનિકોની ટીમને લઈને વાહન પરતાપુર ટ્રાન્ઝિટ કેમ્પથી હનીફ સબ-સેક્ટર સ્થિત ફોરવર્ડ એરિયામાં જઈ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઝડપી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ સૈનિકોને પરતાપુર સ્થિત આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું, “અત્યાર સુધી સાત સૈનિકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">