Kumbh Mela 2021: ‘યાત્રી કૃપિયા ધ્યાન દે’, હરિદ્વાર સ્ટેશન પર આ દિવસોમાં નહીં થોભે એક પણ ટ્રેન

Kumbh Mela 2021: 11થી 14 એપ્રિલ સુધી હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાશે નહીં. ખરેખર, મહાકુંભમાં શાહી સ્નાનને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમય દરમિયાન બધી ટ્રેનો જ્વાલાપુર, રૂરકી અને લક્સર સ્ટેશનો પર રોકાશે.

Kumbh Mela 2021: 'યાત્રી કૃપિયા ધ્યાન દે', હરિદ્વાર સ્ટેશન પર આ દિવસોમાં નહીં થોભે એક પણ  ટ્રેન
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 03, 2021 | 9:57 PM

Kumbh Mela 2021: 11થી 14 એપ્રિલ સુધી હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાશે નહીં. ખરેખર, મહાકુંભમાં શાહી સ્નાનને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમય દરમિયાન બધી ટ્રેનો જ્વાલાપુર, રૂરકી અને લક્સર સ્ટેશનો પર રોકાશે. જ્યાંથી મુસાફરોને બસ દ્વારા મેળામાં લઈ જવામાં આવશે. આપને જણાવી દઈએ કે કુંભમાં 12થી 14 એપ્રિલ સુધી શાહી સ્નાનનું આયોજન કરવામાં આવશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 11 માર્ચે થયું હતું. જ્યારે બીજુ શાહી સ્નાન 12 એપ્રિલે ચૈત્ર અમાવસ્યા અને સોમાવતી અમાવાસ્યા પર થશે. તે જ સમયે 14 એપ્રિલના રોજ મેષ રાશિ સંક્રાંતિ પર શાહી સ્નાન થશે. શાહી સ્નાન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હરિદ્વાર પહોંચશે. 11થી 14 એપ્રિલ સુધી ભક્તો સીધા હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર પહોંચી શકશે નહીં. આ માટે મુસાફરોને જ્વાલાપુર, રૂરકી અને લક્સર સ્ટેશનો પર ઉતરવું પડશે. ભક્તોએ કુંભ પહોંચવા માટે નિયત રેલ્વે સ્ટેશનોથી શટલની સુવિધા લેવાની રહેશે.

જણાવી દઈએ કે 01 એપ્રિલ 2021થી શરૂ થયેલો કુંભ મેળો 30 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન મહાકુંભ મેળામાં 3 શાહી સ્નાન થશે. જેમાં તમામ 13 અખાડા, નાગા સાધુ અને મહામંડલેશ્વર સહિત લાખો ભક્તો મુખ્ય ઘાટ હર કી પૌડી પર બ્રહ્માકુંડમાં મુક્તિ અને સુખાકારીની પવિત્ર ડૂબકી લગાવશે. 12 એપ્રિલના રોજ સોમાવતી અમાવસ્યા, 14 એપ્રિલે વૈશાખી સ્નાન અને 27 એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમાએ તમામ 13 અખાડા સહિત ભક્તો સાથે શાહી સ્નાન કરશે.

મેળામાં વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર કુંભ ક્ષેત્રમાં 10 હજાર પોલીસ જવાનો તૈનાત છે. કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે વહીવટીતંત્રે હરિદ્વારમાં મહાકુંભ દરમિયાન કડકતા વધારી દીધી છે. કુંભ આવતા ભક્તોને 72 કલાક અગાઉથી RTPCR TEST કરાવવું પડશે. રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે જ તમે મહાકુંભમાં આવી શકશો. ભક્તોએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે.

આ પણ વાંચો : Indian Railways: હવે વગર રિઝર્વેશને થશે રેલ યાત્રા, આ રહ્યું 5 એપ્રિલથી શરૂ થનારી 71 ટ્રેનનું લિસ્ટ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">